ભોજપુરીમાં બનશે લાલૂ પ્રસાદ યાદવની બાયોપિક, જાણો ક્યારે થશે રિલીઝ
પોતાના અલગ અંદાજ માટે જાણીતા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની બાયોપિકની તૈયારી શરૂ થઈ ગઈ છે. લાલૂના જીવન પર ભોજપુરીમાં ફિલ્મ બનાવવામાં આવશે. લાલૂની બાયોપિક ફિલ્મનું નામ 'લાલટેન' રાખવામાં આવ્યું છે.
'લાલટેન' નામની આ ભોજપુરી ફિલ્મમાં લાલૂનું પાત્ર ભજવતા અભિનેતા યશ કુમારે બુધવારે સંવાદદાતાઓને જણાવ્યું કે આરજેડીના પૂર્વ પ્રમુખના જીવન પર બની રહી આ ફિલ્મમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રીના જીવનના જુદાં જુદાં પાસાંઓને રસપ્રદ અને મનમોહક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
લાલટેન આરજેડીનું ચૂંટણી ચિહ્ન પણ છે. કુમારે જણાવ્યું કે અભિનેત્રી સ્મૃતિ સિન્હા આ ફિલ્મમાં લાલૂની પત્ની રાબડી દેવીની ભૂમિકા ભજવે છે. તેનું ફિલ્માંકન ગુજરાત અને બિહારના વિભિન્ન વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. સુમન કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મ આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.
આ પણ વાંચો : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ
દેશના રેલ મંત્રી રહી ચૂકેલા લાલૂ હાલ ચારા ઘોટાલા મામલે જેલમાં સજા ભોગવી રહ્યા છે.