લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ હવે લદાખને બદલે કારગિલમાં કરવામાં આવશે
આમિર ખાન
આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ હવે લદાખને બદલે કારગિલમાં કરવામાં આવશે. તાજેતરમાં જ ચીન દ્વારા કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને ફિલ્મમેકરે આ નિર્ણય લીધો છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ હજી બાકી છે. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તનાવને જોતાં ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન અને આમિર ખાને પરસ્પર ચર્ચા કરીને કારગિલમાં શૂટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આમિર ખાન લદાખમાં શૂટિંગ કરીને ફિલ્મની ટીમને જોખમમાં નથી મૂકવા માગતો. તાજેતરમાં જ આમિરના સ્ટાફ પણ કોરોના-પૉઝિટિવ મળી આવ્યો હતો. એથી હાલમાં તો આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની કોઈ યોજના નથી, પરંતુ એનું શેડ્યુલ ચેન્જ કરવામાં આવ્યું છે.