Kushal Punjabi Suicide:મિત્ર હંસરાજ ચેતને કર્યા લગ્ન સાથે જોડેલા ખુલાસા
અભિનેતા કુશલ પંજાબીના મૃત્યુને લઈને આખી ટીવી ઇન્ડસ્ટ્રીને એક મોટો ઝાટકો લાગ્યો છે. પોલીસ પ્રમાણે કુશલના ઘરમાંથી સુસાઇડ નોટ મળ્યું છે. સ્પૉટબૉય સાથએ વાતચીતમાં ડીસીપી પરમજીત સિંહ દહિયાએ કહ્યું, હાઁ, આ આત્મહત્યાનો કેસ છે. કુશલ પંજાબીના માતા-પિતા કાલે બપોરે તેમની સાથે કૉન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેને ફોન લાગતો ન હતો. પરિવારે રાત સુધી રાહ જોઇ, જ્યારે કુશલ પંજાબી તરફથી કોઇ રિસ્પૉન્સ ન મળ્યું, તો તે લોકો સાતે 10.30 વાગ્યે તેની બિલ્ડિંગમાં પહોંચી ગયા. દરવાજો તોડી નાખ્યો અને અંદર ગયા. અંદર જઈને જોયું તો કુશલનું શબ પંખા પર લટકાયેલું હતું. હાલ, બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. સુસાઇડનો કેસ નોંધી લેવામાં આવ્યો છે
શું છે સુસાઇડ નોટમાં
સુસાઇડ નોટમાં કુશલે પોતાની મૃત્યુ માટે કોઇને જવાબદાર જણાવ્યું નથી. કુશલે નવેમ્બર 2015માં પોતાની યૂરોપિયન ગર્લફ્રેન્ડ ઑડ્રે ડોલેં (Audrey Dolhen) સાથે લગ્ન કર્યા હતા. બન્નેનો એક દીકરો છે. કુશલની પત્ની પોતાના દીકરા સાથે શંઘાઈમાં રહે છે.
ADVERTISEMENT
શૉકમાં છે કુશલના નજીકના મિત્ર ચેતન હંસરાજ
કુશલના નજીકના મિત્ર ચેતન હંસરાજે ટીઓઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે તે કુશલના મૃત્યુથી શૉકમાં છે. ચેતન હંસરાજે કહ્યું કે, "કુશલને તેની પત્ની પ્રત્યે અલગાવ થઇ રહ્યો હતો અને તે બીમારીથી પણ લડી રહ્યો હતો. અમને વિશ્વાસ નથી રહ્યો કે તે હવે અમારી વચ્ચે નથી. મેં તેની સાથે બે દિવસ પહેલા જ વાત કરી હતી. કુશલે મને કહ્યું હતું કે તે ચિંતિત છે. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ બાબતો જીવનમાં હોય છે. તેને આ વસ્તુઓથી લડવું પડશે. પણ મેં આ કલ્પના પણ નહોતી કરી કે કુશલ આવું પગલું લઈ લેશે." કુશલ પંજાબી અને ચેતન હંસરાજ 20 વર્ષથી એક-બીજાને ઓળખતા હતા.
આ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ
ચેતન હંસરાજ પ્રમાણે તે કુશલને હંમેશા એક ફાઇટર તરીકે યાદ રાખશે. તે ખૂબ જ પૉઝિટીવ અને ફન લવિંગ વ્યક્તિ હતો. તેના ચહેરા પર હંમેશા સ્માઇલ રહેતી હતી. તે પોતાની આસપાસ રહેલા લોકો ફિટ રહેવા માટે પ્રેરિત કરતો હતો. તે મારા ભાઈ જેવો હતો.