કુંડલી ભાગ્યનો રુષભ શું કામ મુંબઈમાં ફરે છે અને પોલીસ તેને રોકતી નથી?
ઝી ટીવીની સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં રુષભનું કૅરૅક્ટર કરતો મતીત જૌરા અત્યારના લૉકડાઉનમાં ઘરની બહાર નીકળે તો પણ કોઈતેને ના પાડતું કે અટકાવતું નથી અને પોલીસ પણ તેને રોકતી નથી. એનું કારણ એ છે કે મનીત અત્યારે સ્ટ્રીટ ડૉગ્સને ફૂડ પહોંચાડવાનું કામ કરે છે અને આ માટે તેણે ઑફિશ્યલ મુંબઈ પોલીસની પરમિશન પણ લીધી છે. મનીત જબરદસ્ત ઍનિમલ-લવર છે. તેના ઘરે એક ફીમેલ ડૉગ પણ છે, જેનું નામ તેણે બેલા રાખ્યું છે. કોરોનાને કારણે લૉકડાઉન અનાઉન્સ થયું ત્યારે મનીતને સૌથી પહેલો વિચાર સ્ટ્રીટ ડૉગ્સનો આવ્યો હતો. મનીતે કહ્યું કે ‘સ્ટ્રીટ ડૉગ્સ બીજાના ફૂડ પર જ આધારિત હોય છે. લૉકડાઉનમાં રસ્તા પરના ડૉગ્સને કંઈ ખાવા ન મળે તો એ બર્ડ્સ પર હુમલો કરે કે કૅટ પર હુમલો કરે. એવું ન બને એટલે વિચાર્યું કે આ સ્ટ્રીટ ડૉગ્સને ફૂડ પહોંચાડવાનું કામ કરવું જોઈએ.’
મનીતે ઑફિશ્યલ મુંબઈ પોલીસની પરમિશન લીધી અને હવે તે પરમિશન લઈને સ્ટ્રીટ ડૉગ્સ માટે ફૂડ લઈને દરરોજ નીકળે છે અને ખવડાવે છે. દિવસમાં આ કામ મનીત બે વાર કરે છે અને એમાં એન તેને શૂટિંગ કરતાં પણ અનહદ મજા આવે છે.