પાકિસ્તાનને આતંકવાદીઓથી આઝાદ થવાની જરૂર છે : કુનાલ કોહલી
કુનાલ કોહલી
કુનાલ કોહલીનું કહેવું છે કે પાકિસ્તાને આતંકવાદીઓને આશરો ન આપવો જોઈએ. ગઈ કાલે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિન હોવાથી કુનાલ કોહલીએ ટ્વીટ કરીને પાકિસ્તાનને આંતકવાદીઓથી આઝાદ થવા માટે કહ્યું હતું. ‘હમ તુમ’ અને ‘ફના’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરનાર કુનાલ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘પાકિસ્તાનને સ્વતંત્રતા દિનની શુભકામના. ઇન્ડિયા પ્રત્યેના નકારાત્મક વિચારોથી પણ તમારે આઝાદ થવાની જરૂર છે.
આ પણ વાંચો : કેટલા બદલાયા રાખી ગુલઝાર, હવે જોશો તો નહીં ઓળખી શકો
ADVERTISEMENT
ઓસામા બિન લાદેન અને દાઉદ ઇબ્રાહિમ જેવા આંતકવાદીઓને આશરો આપવાથી પણ તમારે આઝાદ થવાની જરૂર છે. જોકે એમ છતાં આપણે શાંતિથી રહેવાનું પસંદ કરી શકીએ છીએ.’