Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મારી અને કપિલ વચ્ચે કોઈ હરીફાઈ નથી રહી : કૃષ્ણા અભિષેક

મારી અને કપિલ વચ્ચે કોઈ હરીફાઈ નથી રહી : કૃષ્ણા અભિષેક

22 June, 2017 05:27 AM IST |

મારી અને કપિલ વચ્ચે કોઈ હરીફાઈ નથી રહી : કૃષ્ણા અભિષેક

મારી અને કપિલ વચ્ચે કોઈ હરીફાઈ નથી રહી : કૃષ્ણા અભિષેક


krushna abhishek

કૃષ્ણા અભિષેક તેના નવા શોને પ્રમોટ કરવા માટે કપિલ શર્માના શોમાં જશે અને તેનું કહેવું છે કે તેમની વચ્ચે કોઈ હરીફાઈ નથી. કૃષ્ણા અભિષેક સોની ટીવી પર તેમનો આગામી શો ‘ધ ડ્રામા કંપની’ શરૂ કરવા જઈ રહ્યો છે. આ શોમાં તેની સાથે અલી અસગર, સુગંધા મિશ્રા અને ડૉક્ટર સંકેત ભોસલે જોવા મળશે. આ શોમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળે એવી શક્યતા છે, પરંતુ તેણે હજી સુધી તૈયારી નથી દેખાડી. આ વિશે વધુ જણાવતાં કૃષ્ણા અભિષેક કહે છે, ‘મારા શોને લઈને કોઈ કન્ટ્રોવર્સી નથી. મારા શોને કપિલ અને તેના શો સાથે પણ કોઈ લેવાદેવા નથી. કપિલનો શો નવથી દસ આવશે જ્યારે મારો શો આઠથી નવ આવશે. અમારી વચ્ચે કોઈ હરીફાઈ નથી રહી. હું જ્યારે ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ કરતો હતો ત્યારે અમારા બન્નેનો શો એક જ સમયે આવતો હતો. એ સમયે લોકોએ શું જોવું એમાં કન્ફ્યુઝન થતું હતું. જોકે હવે અમે બન્ને એક જ ચૅનલ પર આવી રહ્યા છીએ. મેં ચૅનલને પણ કહી દીધું છે કે અમારા શોને પ્રમોટ કરવા માટે અમે ‘ધ કપિલ શર્મા શો’માં જઈશું. મને લાગે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે પહેલી વાર એક સ્ટેજ પર સાથે જોવા મળીશું. મારો શો શરૂ થાય અને હું કપિલના શોમાં જાઉં એ માટે હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2017 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK