અક્ષય અને અર્જુન કપૂરે કૅટરિનાની કઈ રિલેશનશિપ માટેની રિક્વેસ્ટ ઠુકરાવેલી?
આ શોમાં કૅટરિનાએ જણાવ્યું હતું કે અક્ષયકુમાર અને અર્જુન કપૂરે તેની રિલેશનશિપને સ્વીકારવા માટે ના પાડી હતી. કૅટરિનાને છ બહેનો છે અને તે ઇચ્છતી હતી કે તેને એક ભાઈ હોય. કૅટરિના જ્યારે અક્ષયકુમાર સાથે ‘તીસ માર ખાન’ના ગીત ‘શીલા કી જવાની’ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે અક્કીને ભાઈ બનાવવા માટે કહ્યું હતું, જે રિક્વેસ્ટને અક્ષયકુમારે ફગાવી દીધી હતી. અર્જુન કપૂર અને કૅટરિના ખૂબ જ સારા મિત્રો છે અને તેથી જ કૅટરિનાએ અર્જુનને પણ રિક્વેસ્ટ કરી હતી. જોકે અજુર્ને પણ કૅટરિનાના ભાઈ બનવાની રિક્વેસ્ટને ઠુકરાવી દીધી હતી.