Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ રણબીર કપૂરની ઇર્ષ્યા આવે છે કાર્તિક આર્યનને?

કેમ રણબીર કપૂરની ઇર્ષ્યા આવે છે કાર્તિક આર્યનને?

03 November, 2019 11:44 AM IST | મુંબઈ

કેમ રણબીર કપૂરની ઇર્ષ્યા આવે છે કાર્તિક આર્યનને?

રણબીર કપૂર

રણબીર કપૂર


મુંબઈ : કાર્તિક આર્યનનું કહેવું છે કે તેને રણબીર કપૂરની ફિલ્મોની ચૉઇસને લઈને ઇર્ષ્યા થાય છે. કાર્તિક પાસે આમ તો સારા પ્રોજેક્ટસ છે. તે ‘પતિ, પત્ની ઔર વો’, ‘ભૂલભુલૈયા 2’ અને ‘દોસ્તાના 2’માં પણ જોવા મળવાનો છે. આમ છતાં, તેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ તો એવું છે જેનાથી ઇર્ષ્યા થાય છે. આ વિશે જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘અમે બધા ફિલ્મોમાં કામ કરી રહ્યાં છીએ. અમે બધા સખત મહેનતમાં ભરોસો કરીએ છીએ. એ એક સામાન્ય બાબત છે જે સૌને એકતાંતણે બાંધી રાખે છે. અમારી જર્નીમાં એક તફાવત પણ છે, અમે એકબીજાને સારું કામ કરવા માટે પ્રેરણા પણ આપીએ છીએ. રણબીર કપૂર એક એવો ઍક્ટર છે જેનું કામ અદ્ભુત છે. તેની ફિલ્મોની પસંદગીની મને ઇર્ષ્યા થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 11:44 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK