Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday: લગ્ન બાદ આટલી બદલાઈ ગઈ છે Namrata Shirodkar, વાંચો

Happy Birthday: લગ્ન બાદ આટલી બદલાઈ ગઈ છે Namrata Shirodkar, વાંચો

22 January, 2021 05:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Happy Birthday: લગ્ન બાદ આટલી બદલાઈ ગઈ છે Namrata Shirodkar, વાંચો

નમ્રતા શિરોડકર (તસવીર સૌજન્ય - મિડ-ડે)

નમ્રતા શિરોડકર (તસવીર સૌજન્ય - મિડ-ડે)


અભિનેત્રી નમ્રતા શિરોડકર (Namrata Shirodkar) શુક્રવારે એટલે 22 જાન્યુઆરીના રોજ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. નમ્રતાએ પોતાના કરિયારની શરૂઆત એક મૉડલ તરીકે કરી હતી. 1993માં તેણે મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. 1998માં 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં એમની સાથે સલમાન ખાન અને ટ્વિન્કલ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા. નમ્રતાએ સિવાય 'કચ્ચે ધાગે', 'વાસ્તવ', 'અલબેલા', 'મસીહા' સહિત જેવી અનેક ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ એક અંગ્રેજી ફિલ્મ 'પ્રાઈડ એન્ડ પ્રેજુડિસ'માં પણ પોતાની એક્ટિંગનો જલવો વિખેર્યો હતો.

નમ્રતા જ્યારે પોતાના કરિયરના શિખરની ઊંચાઈએ ગઈ હતી, ત્યાકે તે દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબૂ(Mahesh Babu)ને મળી અને તેના પ્રેમમાં પડી ગઈ. બન્નેની મુલાકાત વર્ષ 2000માં 'વામસી'ના સેટ પર થઈ હતી. પાંચ વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ 2005માં બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બાદ નમ્રતાએ ફિલ્મ જગતથી અંતર બનાવી લીધું હતું. હવે તે ઘરની જવાબદારીઓ નિભાવી રહી છે. તેમની છેલ્લી ફિલ્મ 2004માં 'રોક સકો તો રોક લો' હતી. નમ્રતા અને મહેશ બાબૂને બે સંતાનો છે. પુત્રીનું નામ સિતારા અને દીકરાનું નામ ગૌતમ છે.



મહેશ બાબૂના લગ્ન બાદ નમ્રતાએ ફિલ્મોથી દૂર રહી છે, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૅન્સના દિલથી નજીક છે. ઈન્સ્ટાગ્રામ પર એના 2.1 મિલિયન ફૉલોઅર્સ છે. તેમ જ મહેશ બાબૂ ફિલ્મોમાં વ્યસ્ત છે, નમ્રતા ઘર અને બાળકોની સંભાળ રાખે છે. એ સિવાય તે પોતાના પતિના મેનેજર તરીકે પણ કામ કરે છે.


નમ્રતા ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવે છે અને ઘણી વાર તેના પ્રશંસકો સાથે વાતચીત કરે છે. એકવાર તેમના ફૅને તેમને મહેશ બાબૂની કોઈ સારી બાબત અંગે પૂછ્યું હતું. ત્યારે નમ્રતાએ જવાબ આપ્યો હતો કે તેઓ અસલી છે. ફૅન્સ એ જાણવા માટે ઉત્સુક હતા શું મહેશ અને નમ્રતા એકસાથે ફરી મોટા પડદા પર જોવા મળશે. એના માટે તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આ જીવનકાળમાં ફરી આવું સંભવ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK