Happy Birthday Imran Khan: જાણો કેમ છોડી આ એક્ટરે એક્ટિંગની દુનિયા
ઈમરાન ખાન તસવીર સૌજન્ય - જાગરણ
અભિનેતા ઈમરાન ખાન પોતાનો જન્મદિવસ 13 જાન્યુઆરીએ ઉજવે છે. તે બૉલીવુડનો દિગ્ગજ અને પ્રખ્યાત અભિનેતા આમિર ખાનનો ભત્રીજો છે. તેમ છતાં ઈમરાન ખાન પોતાના મામાની જેમ બૉલીવુડમાં વધારે નામ કમાવી શક્યો નથી. તે બૉલીવુડની ઘણી ફિલ્મો અને શાનદરા કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ બૉક્સ ઑફિસ પર ઈમરાનની કેટલીક ફિલ્મો સિવાયની લગભગ બધી જ ફિલ્મો ફ્લૉપ રહી છે.
જન્મદિવસ નિમિત્તે અમે તમને ઈમરાન ખાન વિશેની કેટલીક વિશેષ વાતો જણાવીએ છીએ. ઈમરાન ખાનનો જન્મ 13 જાન્યુઆરી 1983ના રોજ અમેરિકામાં થયો હતો. તેઓ એક ફિલ્મી પરિવારથી સંબંધ રાખે છે. ઈમરાન ખાનના દાદા નાસીર હુસૈન હિન્દી સિનેમાના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા. આ જ કારણ હતું કે ઈમરાન ખાને બાળપણથી જ અભિનયની શરૂઆત કરી હતી. બાળ કલાકાર તરીકે તેણે આમિર ખાનની ફિલ્મ 'કયામત સે કયામત તક' અને 'જો જીતા વહીં સિકંદર' સાથે અભિનયની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
બાળ કલાકાર તરીકે ઈમરાન ખાનને દર્શકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ તેણે ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકેની કારર્કિદી શરૂ કરવાનું નક્કી કર્યું. ઈમરાન ખાને વર્ષ 2008માં ફિલ્મ 'જાને તૂ યા જાને ના'થી મુખ્ય ભૂમિકા તરીકે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેની આ ફિલ્મને બૉક્સ ઑફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ પછી તેણે 'કિડનેપ', 'ડેલી બેલી', 'મેરે બ્રધર કી દુલ્હન' અને 'ગોરી તેરે પ્યાર મેં' સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
પરંતુ ઈમરાન ખાનની બૉક્સ ઑફિસ પર વધારે ફિલ્મો ફ્લૉપ સાબિત થઈ છે. જે બાદ તેણે હવે અભિનયની દુનિયામાંથી બ્રેક લીધો છે. ઈમરાન ખાને અભિનય છોડવાનો નિર્ણય લીધો છે. આ વાત તેનો ખાસ મિત્ર એક્ટર અક્ષય ઓબેરૉયે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહીં છે. અક્ષયે કહ્યું કે, ઈમરાને અભિનય છોડીને નિર્દેશન કરવાનો નિર્ણય લીધો છે અને હવે તે દિગ્દર્શની જેમ બૉલીવુડમાં પરત ફરશે.
જોકે ઈમરાન ખાન બૉલીવુડમાં ક્યારે વાપસી કરશે. તે હજુ સુધી જાણી શકાયું નથી. તે છેલ્લે 6 વર્ષ પહેલા ફિલ્મ કટ્ટી-બટ્ટીમાં નજર આવ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી કંગના રાનોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2015માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ઈમરાન ખાનની આ ફિલ્મ ફ્લૉપ રહી હતી.