સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ અપડેટ: તપાસમાં સામે આવી આ નવી બાબતો
સુશાંત સિંહ રાજપૂત
મુંબઇ પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે કે સુશાંત સિંહ રાજપૂતે ફાંસી લગાવવા માટે પહેલા બાથરૉબ બેલ્ટનો ઉપયોગ કર્યો હતો, પણ તે ફાટી ગયો હતો. પછી તેણે આપઘાત કરવા માટે લીલા કુર્તાનો ઉપયોગ કર્યો. હવે પોલીસ તપાસમાં એ જાણવા માગે છે કે શું કુક્તો સુશાંતનો ભાર વેઠી શકે એમ હતો કે નહીં, આ માટે કાલિના ફૉરેંસિક લૅબ મોકલવામાં આવ્યો છે.
2 ટુકડામાં મળ્યો બાથ રૉબ બેલ્ટ
સૂત્રો પ્રમાણે પોલીસને ત્યારે શંકા થઈ જ્યારે બાથ રૉબ બેલ્ટ 2 ટુકડામાં જમીન પર પડેલો મળ્યો, જો કે, સુશાંતની ડેડ બૉડી બેડ પર હતી, જે તે સમયે રૂમમાં હાજર લોકો હા, તેમણે કુર્તા સાથે લટકતાં મૃતદેહના ફંદાને કાપ્યો હતો. સૂત્રો પ્રમાણે કાલિના ફૉરેન્સિક લૅબ કુર્તાની તન્યતા એટલે કે (Ductility)ને ચકાસવા માટે ઉપકરણોનો ઉપયોગ કરશે, જેથી ખ્યાલ આવી શકે કે શું તે કુર્તો સુશાંતનું વજન ઉપાડી શકે તેમ હતો.
ADVERTISEMENT
પોલીસ પ્રમાણે તે સમયે તપાસ માટે પહોંચેલી પોલીસને થોડી શંકા થઈ, જ્યારે 2 ટુકડાઓમાં બાથરૉબ બેલ્ટ મળ્યો. આવામાં એવું શક્ય છે કે સુશાંત એ ચકાસી રહ્યો હોય કે બાથરૉબ બેલ્ટ દ્વારા ફાંસી લગાવી શકાય છે કે નહીં અથવા બાથરૉબ બેલ્ટ તેનો ભાર વેઠી શકશે કે નહીં. પોલીસ સૂત્રો પ્રમાણે પંચનામા દરમિયાન સુશાંતનું કબાટ ખુલ્લું હતું અને પ્રેસ કરેલા કપડાં વિખેરાયેલા હતા. બાથ રૉબ બેલ્ટ ફાટી જવાને કારણે એવું લાગે છે કે સુશાંતે પછી કુર્તાનો સહારો લીધો હોય.