Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > 'કહને કો હમસફર હૈ'ની ત્રીજી સીઝન: પેરન્ટ્સની ડિસ્ટર્બ મૅરેજ-લાઇફની વાત

'કહને કો હમસફર હૈ'ની ત્રીજી સીઝન: પેરન્ટ્સની ડિસ્ટર્બ મૅરેજ-લાઇફની વાત

09 June, 2020 05:03 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

'કહને કો હમસફર હૈ'ની ત્રીજી સીઝન: પેરન્ટ્સની ડિસ્ટર્બ મૅરેજ-લાઇફની વાત

'કહને કો હમસફર હૈ'ની ત્રીજી સીઝન: પેરન્ટ્સની ડિસ્ટર્બ મૅરેજ-લાઇફની વાત


રોનિત રૉય, મોના સિંહ અને ગુરદીપ કોહલી સ્ટારર ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સીઝને આવતાની સાથે જ દેકારો મચાવી દીધો છે. માત્ર ૪૮ કલાકમાં એક મિલ્યન વ્યુઅર્સ મેળવનારી આ વેબ-સિરીઝ મેળવીને સુપરહિટ બની ગઈ છે. એકતા કપૂરથી માંડીને ઍક્ટર્સ પણ આ વાતથી ખુશ છે, પરંત સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જો કોઈ હોય તો એ છે આ સીઝનનો મુખ્ય હાર્દ. પેરન્ટ્સની ડિસ્ટર્બ મૅરેજ-લાઇફ બાળકોના મન પર કેવી અસર ઊભી કરે છે અને એ કેવાં ડિસ્ટર્બ થઈને રહે છે એ વાત પર પણ ફોકસ આ સીઝનમાં કરવામાં આવ્યું છે.

અનન્યા સાથેના એક્સ્ટ્રામૅરિટલ રિલેશન પછી રોહિત અને પૂનમ બન્ને છૂટાં પડી જાય છે, પણ રોહિત અને અનન્યાની રિલેશનશિપ પણ આગળ વધતી નથી અને તેઓ બન્ને પણ



છૂટાં પડી જાય છે. આ વાર્તા છે પહેલી બે સીઝનની, હવે ત્રીજી સીઝનમાં સ્ટોરી અહીંથી આગળ વધે છે. ચાર વર્ષ વીતી ચૂક્યાં છે અને રોહિતના જીવનમાં કોઈ રહ્યું નથી. પૂનમે બીજાં મૅરેજ કરી લીધાં છે અને અનન્યા સિંગલ મધર સાથે બિઝનેસવુમન છે. રોહિત અને રોહિત-પૂનમની બન્ને દીકરીઓ પર ફોકસ કરીને સ્ટોરી આગળ વધે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2020 05:03 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK