કહને કો હમસફર હૈની ત્રીજી સીઝન ફ્લોર પર આ મહિને
કહને કો હમસફર હૈની એક ઝલક
લગ્નેતર સંબંધો પર આધારિત ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સીઝનનું શૂટ આ મહિને શરૂ થશે અને AltBalaji પર સૌથી વધુ પૉપ્યુલર થયેલી આ વેબ-સિરીઝ ડિસેમ્બરના એન્ડમાં ક્રિસમસ વેકેશન પર રિલીઝ થશે. સિરીઝના લીડ કાસ્ટમાં રોનિત રૉય, મોના સિંહ અને ગુરદીપ કોહલી છે.
મૅરિડ વ્યક્તિ છે, દેખીતી રીતે સુખી સંસાર છે, બે દીકરીઓ પણ છે અને વાઇફ આખું ઘર સંભાળીને બેઠી છે એવા સમયે રોહિતની લાઇફમાં ઍના આવે છે. સેકન્ડ સીઝનમાં ઍના રોહિત અને તેની વાઇફને છોડીને નીકળી જાય છે. આ વખતે વાર્તા ત્યાંથી જ આગળ વધવાની છે. રોહિત ઍના સાથે રહેશે કે પછી વાઇફ પૂનમ અને દીકરીઓ સાથે રહેશે એ આ સીઝનમાં સ્પષ્ટ થાય એવી શક્યતા છે.
‘કહને કો હમસફર હૈ’ માટે મોના સિંહે ૧૪ કિલો વજન ઉતાર્યું હતું.