પરિણામની ચિંતા કરીશ તો ધાર્યું ફળ નહીં મેળવી શકું: કૅટરિના કૈફ
કૅટરિના કૈફ
કૅટરિના કૈફનું કહેવું છે કે જો તે સતત પરિણામની ચિંતા કર્યા કરશે તો તે પોતાના લક્ષને પૂરુ નહીં કરી શકે. સલમાન ખાન સાથેની તેની ‘ભારત’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. પોતાના કામ પર ધ્યાન આપતી હોવાની વાત કહેતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘જો હું પરિણામની ચિંતા કરું તો હું કામ પર ધ્યાન ન આપી શકું. જો હું મારા કામ પર પૂરતું ધ્યાન ન આપું તો હું મારા લક્ષને પૂરું ન કરી શકું.
આ પણ વાંચો : પિરિયડ-ડ્રામા કરવાની મારી પહેલેથી ઇચ્છા હતી: અર્જુન
ADVERTISEMENT
જો મારી પ્રશંસા થાય તો મને ખુશી થાય છે અને મારી નિંદા થાય તો મને થોડું દુઃખ પણ થાય છે. જોકે એ નિયમને આપણે બદલી નથી શકતા.’