ઈગોમાં હું વિશ્વાસ નથી રાખતી : કૅટરિના કૈફ
કૅટરિના કૈફ
કૅટરિના કૈફ માને છે કે તમે જ્યારે કોઈને માન આપો છો તો એમાં અહમ ન આવવો જોઈએ. શાહરુખ ખાન, સલમાન ખાન, હૃતિક રોશન અને અક્ષયકુમાર જેવા બૉલીવુડના મોટા-મોટા સ્ટાર તેના ફ્રેન્ડ્સ છે. અહમ વિશે જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘મારા ઈગોને ઠેસ કેમ પહોંચાડી એ વિશે વિચારવાની મારે જરૂર નથી. એ સામેની વ્યક્તિનો પ્રૉબ્લેમ છે. રિસ્પેક્ટ ન આપવો એ અલગ વસ્તુ છે. તમારે પોતાનો પક્ષ લેવો જોઈએ અને અયોગ્ય બાબતનો વિરોધ કરવો જોઈએ. અહમને પોષવા પાછળ શું ઉદ્દેશ છે? હું માત્ર એક વ્યક્તિ છું. શાહરુખ હોય હૃતિક હોય કે અક્ષયકુમાર હોય કે પછી સલમાન હોય. હું નસીબદાર છું કે એ બધા મારા ફ્રેન્ડ્સ છે. તેઓ મારા માટે અગત્યના છે. હું તેમની સાથે કોઈ પણ સમયે વાતચીત કરી શકું છું. હું તેમનો રિસ્પેક્ટ કરું છું અને તમે જ્યારે કોઈને માન આપતા હો તો ત્યાં અહમ ન આવવો જોઈએ.’