ફિલ્મ સિવાય કરીઅર માટે અન્ય કોઈ પ્લાન નહોતો કાર્તિક પાસે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનનું કહેવુ છે કે તેનો ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ નહોતો પરંતુ તેણે કરીઅર માટે બીજો કોઈ પર્યાય શોધ્યો નહોતો. એન્જિનિયરીંગની ડિગ્રી ધરાવતા કાર્તિકે ‘પ્યાર કા પંચનામા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બૉલીવુડમાં કરીઅર બનાવવા સિવાય અન્ય કોઈ પર્યાય વિશે તેણે નહોતુ વિચાર્યું. એ વિશે જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘મારી પાસે કોઈ પ્લાન B નહોતો. જો મેં ફિલ્મોમાં કરીઅર ન બનાવ્યુ હોત તો હું નથી જાણતો કે હું શું કરતો હોત. હું એ પણ નહોતો જાણતો કે મારે ક્યાં જવુ જોઈએ. મારી સ્થિતિ ખૂબ ખરાબ હતી અને હું સ્ટ્રગલ કરી રહ્યો હતો.
આ પણ વાંચો : મા દુર્ગા પાસે મેં આજ સુધી કંઈ નથી માગ્યુ : કાજોલ
ADVERTISEMENT
જો મેં કોઈ ઓપ્શન વિશે વિચાર્યું હોત તો હું કદાચ આજે અહીં સુધી ન પહોંચ્યો હોત. મને ડિરેક્શનમાં પણ રસ છે. એના સિવાય બીજા કોઈમાં પણ મને ઇન્ટરેસ્ટ નહોતો. યુવાઓ મારી સાથે કનેક્ટ થયા કારણ કે હું પણ એવો વ્યક્તિ છું જે ફિલ્મો જુએ છે. ફિલ્મો જોવા વધુ યુવાનો જાય છે અને હું તેમની ઉંમરના વર્ગમાં આવુ છું.’