કરણી સેના અને કંગના સામસામે : મણિકર્ણિકા રિલીઝ નહીં થવા દેવાની ધમકી
મણિકર્ણિકા
દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવત આવ્યા પછી હવે ફરી એક વાર કરણી સેના કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીને લઈને વિરોધ કરી રહી છે. મહારાષ્ટ્ર કરણી સેનાએ કહ્યું છે કે તેમને રાણી લક્ષ્મીબાઈના ફિલ્મમાં બ્રિટિશ ઑફિસર સાથે દર્શાવેલા સંબંધોથી આપત્તિ છે.
એમ પણ કહે છે કે ફિલ્મમાં કંગનાને ડાન્સ નંબર કરતાં બતાવાઈ છે, જ્યારે આ તેમની પરંપરા વિરુદ્ધ છે. કરણી સેનાના નેશનલ પ્રમુખ સુખદેવ સિંહ શેખાવતનું કહેવું છે કે એક વાર ફરી ફિલ્મમેકર્સ પોતાની મનમરજી વર્તી રહ્યા છે અને ફિલ્મના સીન્સને લઈને તે કંઈ પણ બતાવે છે. પણ અમે આ બકવાસ સહન નહીં કરીએ.
ADVERTISEMENT
એવું પૂછવામાં આવ્યું કે તે અત્યાર સુધી ચૂપ કેમ હતા? તેનું કહેવું છે કે અમે ગત ફેબ્રુઆરીએ આ વાત મૂકી હતી. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છતાં અને પદ્માવતને કેટલાય સ્થળે રિલીઝ થવા દીધી નહોતી. મણિકર્ણિકાની સાથે પણ થશે એવું જ. મેં પ્રોડ્યુસર્સને કહ્યું છે કે તે ફિલ્મ રિલીઝ પહેલાં અમને દેખાડે. જો તે એમ નહીં કરે તો અમે પ્રોપર્ટી ડેમેજ કરશું જ અને તેને આગળ પણ વધવા નહીં દઈએ. જો કે આ ફિલ્મને CBFCએ ક્લીન ચીટ આપી દીધી છે પણ સુખદેવનું કહેવું છે કે અમને એ વાતથી કોઈ જ ફરક નથી પડતો. સેન્સર બોર્ડમાં કોઈ ઇતિહાસકારને બેસાડવો જોઈએ, જેનાથી તે ફેક્ટ્સને તપાસી શકે.
આ પણ વાંચો : એક્શન સીન્સ-દેશભક્તિથી ભરપૂર 'મણિકર્ણિકા'ના 7 દમદાર ડાયલોગ્સ
જો કે, સ્ટૂડિયોના સ્પોક પર્સનનું કહેવું છે કે ફિલ્મમાં એવું કંઈ પણ દેખાડવામાં આવ્યું નથી. ફિલ્મ રિલીઝ પછી લોકોને તેની જાણ થઈ જ જશે. મણિકર્ણિકા રાણી લક્ષ્મીબાઈના બલિદાનની સ્ટોરી છે. જણાવીએ કે ફિલ્મ પહેલાથી જ કેટલાય વિવાદોથી ઘેરાયેલી છે અને 25 જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે.