કરીના કપૂરનાં લગ્નને કારણે કરિશ્માના સાસરામાં ધમાલ
હવે જ્યારે ૧૬ ઑક્ટોબરે કરીના કપૂર અને સૈફ અલી ખાનનાં લગ્ન છે ત્યારે એમાં હાજરી આપવા સંજયના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સંજય આ લગ્નમાં પોતાની વર્તમાન પ્રેમિકા પ્રિયાને પણ લઈ જવા માગે છે, પણ સંજયના પરિવારજનો આનો વિરોધ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ વાતની ચર્ચા કરતી વખતે એક તબક્કે તો વાતાવરણ એટલું ઉગ્ર થઈ ગયું હતું કે સંજયે વાઇન ભરેલો ગ્લાસ તેની બહેન મંદિરા તરફ ફેંક્યો હતો. નોંધનીય છે કે સંજયની બહેન મંદિરા અને કરિશ્મા વચ્ચે બહુ સારી મિત્રતા છે અને સંજયના પરિવારને તેના જીવનમાં પ્રિયાની હાજરી બિલકુલ પસંદ નથી.