R Kસ્ટુડિયોના વારસાને કરિશ્મા,રણબીર,હું આગળ ધપાવી રહ્યાં છીએઃ કરીના
કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે આર. કે. સ્ટુડિયોના વારસાને કરિશ્મા કપૂર, રણબીર કપૂર અને તેણે પોતાના કામ દ્વારા આગળ ધપાવ્યો છે. થોડા સમય પહેલાં જ ચેમ્બુરસ્થિત આર. કે. સ્ટુડિયોને એક રિયલ્ટી ફર્મને વેચવામાં આવ્યો છે. આજથી ૭૦ વર્ષ પહેલાં રાજ કપૂરે આ ભવ્ય સ્ટુડિયો બનાવ્યો હતો જે અનેક ફિલ્મો અને શોનો સાક્ષી પણ બન્યો હતો. આ જાજરમાન વારસા વિશે કરીનાએ કહ્યું હતું કે ‘આર. કે.ના વારસાને અમે છોકરીઓ જેમ કે કરિશ્મા અને મેં આગળ વધાર્યો છે. હવે રણબીર કપૂર એને આગળ લઈ જઈ રહ્યો છે. અમારા કામ અને પર્ફોર્મન્સથી અમે એ વારસાને આગળ વધારી રહ્યાં છીએ. આશા રાખું છું કે અમારાં બાળકો પણ એ વારસાને જાળવીને રાખે.’
આ પણ વાંચોઃ આ ગુજરાતી ગોરીના બોલ્ડ લૂક જોઈને ચોંકી જશો, જુઓ ફોટોઝ
ADVERTISEMENT