પહેલી પ્રેગ્નન્સીમાં કરેલી ભૂલનું પુનરાવર્તન નહીં કરે કરીના
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન બીજી વખત પ્રેગ્નન્ટ થતાં તેણે ચોખવટ કરી છે કે તે આ વખતે પહેલાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. તૈમુર વખતે કરીનાનું વજન ખૂબ વધી ગયું હતું. કરીના અને સૈફ અલી ખાને થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે તેમના ઘરે નવો મહેમાન આવવાનો છે. તેમના ફૅન્સ પણ આ ગુડ ન્યુઝ સાંભળીને ખૂબ ઉત્સાહી બની ગયા હતા. જોકે આ વખતે કરીના પોતાના વજન પર ખાસ ધ્યાન રાખવાની છે. એ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘ગયા વખતે તો મેં મારી જાતનું ધ્યાન નહોતું રાખ્યું અને પચીસ કિલો વજન વધી ગયું હતું. આ વખતે હું એવું નથી કરવા માગતી. હું હેલ્ધી અને ફિટ રહેવા માગું છું. પહેલી વખત તો સૌને ઉત્સાહ હતો એટલે સૌકોઈ એમ કહેતું કે પરાઠાં-ઘી ખા, દૂધ પી, બેસનના લાડુ ખા. હવે હું એમ કહું છું કે મેં પહેલાં આ બધું કર્યું છે. હવે મને જાણ થઈ ગઈ છે કે મારી બૉડીને શું જોઈએ છે. મારા ડૉક્ટર્સ પણ કહે છે કે લોકો એમ કહેતા હોય કે તારે બે જીવ માટે જમવાનું છે તો એ માત્ર માન્યતા છે. માત્ર હેલ્ધી અને સેફ રહેવાનું છે. એ જ વસ્તુ હું અત્યારે કરી રહી છું.’