Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાન્હાજી : ધ અનસંગ વૉરિયરમાં સૈફને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છે કરીના

તાન્હાજી : ધ અનસંગ વૉરિયરમાં સૈફને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છે કરીના

15 January, 2020 01:46 PM IST | Mumbai

તાન્હાજી : ધ અનસંગ વૉરિયરમાં સૈફને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છે કરીના

કરીના કપૂર પરિવાર સાથે

કરીના કપૂર પરિવાર સાથે


સૈફ અલી ખાનની ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને લોકો દ્વારા મળી રહેલા પ્રતિસાદ પર કરીના કપૂર ખાને ખુશી વ્યક્ત કરી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાને ઉદયભાન સિંહનું પાત્ર ભજવ્યુ છે. સુબેદાર તાનાજી માલુસુરેનાં પાત્રમાં અજય દેવગન અને કાજોલ તેની વાઇફ સાવિત્રીબાઇ માલુસુરેની ભૂમિકામાં જોવા મળી રહી છે. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર છે અજય દેવગન. ફિલ્મ વિશે જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘હું ખૂબ ઉત્સાહિત છું. મને ખુશી છે કે દર્શકો દ્વારા ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ માટે હું સૌની આભારી છું.’

saif



‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને ઉત્તર પ્રદેશમાં ટૅક્સ-ફ્રી


‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને ઉત્તર પ્રદેશમાં ટૅક્સ ફ્રી કરવામાં આવતા અજય દેવગને સરકારનો આભાર માન્યો છે. આ ફિલ્મમાં અજય દેવગન છત્રપતિ શિવાજી મહારાજનાં બહાદૂર યોદ્ધા સૂબેદાર તાનાજી માલુસુરેનાં પાત્રમાં અને કાજોલ તેની વાઇફ સાવિત્રીબાઇ માલુસુરેની ભૂમિકામાં જોવા મળી રહી છે. તો સૈફ અલી ખાન ઉદયભાનનાં પાત્રમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અજય દેવગન ભગવો લહેરાવવા, સ્વરાજ અને સત્ય માટે લડત ચલાવે છે.

આ પણ વાંચો : મમ્મીના પલ્લુને યાદ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન


ફિલ્મને ઉત્તર પ્રદેશમાં ટૅક્સ ફ્રી કરવામાં આવતા રાજ્યનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો આભાર માનતાં ટ્‍‍વિટર પર અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘ઉત્તર પ્રદેશમાં ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને ટૅક્સ ફ્રી કરતાં શ્રી યોગી આદિત્યનાથનો આભાર. સાથે જ સર જો તમે આ ફિલ્મ જોશો તો મને ખુશી થશે.’

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2020 01:46 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK