Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇશારોં ઇશારોં મેંમાં કરણ ગોધવાણીની થશે એન્ટ્રી

ઇશારોં ઇશારોં મેંમાં કરણ ગોધવાણીની થશે એન્ટ્રી

19 February, 2020 11:04 AM IST | Mumbai

ઇશારોં ઇશારોં મેંમાં કરણ ગોધવાણીની થશે એન્ટ્રી

કરણ ગોધવાણી

કરણ ગોધવાણી


સોની ટીવી પર આવતાં શો ‘ઇશારોં ઇશારોં મેં’માં હવે કરણ ગોધવાણીની એન્ટ્રી થવા જઈ રહી છે. આ શોમાં નવો ટ્વિસ્ટ આપવા માટે આ એન્ટ્રી કરવામાં આવી રહી છે. આ શોમાં યોગી અને ગુંજનના લગ્ન થઈ ગયા છે. ગુંજન પ્રેગ્નન્ટ છે. યોગી તેની પ્રેમિકા પરીને પણ લાઇફમાં ભૂતકાળને ભૂલીને સેટલ થવા માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે ગુંજનને તેના કારણ થોડી ઇનસિક્યોરિટી છે. આથી હવે પરીનું પાત્ર ભજવતી દેબાત્તમા સહાની સામે કરણનું પાત્ર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહ્યું છે. આ શોમાં કરણ વકીલ સુજોય બૅનર્જીનું પાત્ર ભજવતો જોવા મળશે. આ વિશે કરણે કહ્યું હતું કે ‘આ શોમાં કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે એમાં સાંભળી નહીં શકતા વ્યક્તિના પાત્રને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી રહ્યું છે. આ શોમાં હું વકીલ સુજોય બૅનર્જીનું પાત્ર ભજવી રહી છું જે પરી માટે એકદમ પર્ફેક્ટ મૅચ હોય છે. પરી અને યોગીની લાઇફમાં સુજોય ખૂબ જ મહત્વનું પાત્ર ભજવતો જોવા મળશે. હું પહેલી વાર બંગાળી પાત્ર ભજવી રહ્યો છું અને એથી જ હું કેટલાક શબ્દો પર વધુ ધ્યાન આપી રહ્યો છું. આ અદ્ભુત મુસાફરીની હું ખૂબ જ આતૂરતાથી રાહ જોઈ રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 11:04 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK