કંગના રનોટ અને દિલજિત દોસાંજ વચ્ચે સોશ્યલ મીડિયામાં ફરીથી શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. કંગનાએ તેના પર વીફરતાં જણાવ્યું છે કે શું તારા કહેવાથી પંજાબ મારી વિરુદ્ધમાં થઈ જશે? દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. એને લઈને ખેડૂતોને ન્યાય મળે એ તરફેણમાં કેટલાક લોકો છે તો કેટલાકને લાગે છે કે સરકાર જે કાયદો લાવવાની છે એ યોગ્ય છે. કંગના પર પ્રહાર કરતાં ટ્વિટર પર દિલજિતે ટ્વીટ કર્યું હતું કે ‘તને તારા વિશેની ઘણીબધી ખોટી ધારણાઓ છે. તેં જે કર્યું છે એથી એમ નહીં માનતી કે પંજાબીઓ એ બધું ભૂલી જશે. એનો જવાબ તને જલદી જ મળી જશે.’
તો સામે એનો જવાબ આપતાં કંગનાએ પણ ટ્વીટ કર્યું હતું કે ‘સમય જ જણાવશે કે કોણ ખેડૂતો માટે લડી રહ્યું છે અને કોણ તેમની વિરુદ્ધમાં છે. સો જૂઠને કારણે એક સત્ય છુપાઈ નહીં જાય. જેને તમે સાચા દિલથી ચાહો છો એ તમને કદી પણ નફરત નહીં કરે. તને શું લાગે છે કે તારા કહેવાથી પંજાબ મારી વિરુદ્ધમાં થઈ જશે? આટલાં મોટાં-મોટાં સપનાં ન જો, તારું દિલ તૂટી જશે.’
ફૉરએવરવાલી લવ-સ્ટોરી
24th January, 2021 14:45 ISTવરુણ-નતાશાનાં લગ્નના વેન્યુમાં મોબાઇલ પર બૅન
24th January, 2021 14:42 ISTસ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી, લોકો પર કેટલી અસર છોડો છો એ જરૂરી છે
24th January, 2021 14:39 ISTD કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા
24th January, 2021 14:37 IST