Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાની થિયરી ખોટી થઈ સાબિત, હવે પદ્મશ્રી પાછો આપવો જોઈએ: આદિત્ય પંચોલી

કંગનાની થિયરી ખોટી થઈ સાબિત, હવે પદ્મશ્રી પાછો આપવો જોઈએ: આદિત્ય પંચોલી

22 August, 2020 05:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગનાની થિયરી ખોટી થઈ સાબિત, હવે પદ્મશ્રી પાછો આપવો જોઈએ: આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી


આદિત્ય પંચોલીએ કંગના રનોટ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેનું તારણ ખોટું પુરવાર થતાં તેણે હવે સરકારને પદ્મશ્રી પાછો આપવો જોઈએ. સુશાંતની એક્સ-મૅનેજર દિશા સાલિયાનના નિધનની પાછળ સૂરજ પંચોલીનું નામ ઉછાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ સૂરજે તમામ ચોખવટ કરીને જણાવ્યું હતું કે તેના દિશા સાથે કોઈ સંબંધ નહોતા. કંગનાએ બૉલીવુડમાં નેપોટિઝમ અને માફિયાઓ પર પ્રહાર કર્યા હતા. એવામાં સુશાંતના કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. એથી આદિત્ય પંચોલીએ કહ્યું હતું કે ‘સુશાંતના કેસમાં તેની થિયરી ખોટી પુરવાર થઈ છે. એથી કંગનાએ પદ્મશ્રી પાછો આપવો જોઈએ. સુશાંતના પિતા કે. કે. સિંહે પટનામાં જે કેસ ફાઇલ કર્યો હતો એમાં ક્યાંય પણ નેપોટિઝમનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો. તેમણે તો રિયા ચક્રવર્તી વિરુદ્ધ 306ની કલમ હેઠળ કેસ નોંધ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2020 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK