Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નિંદાઓ કદી પણ મને કઠોર નથી બનાવતી : કંગના રનોટ

નિંદાઓ કદી પણ મને કઠોર નથી બનાવતી : કંગના રનોટ

16 September, 2019 12:01 PM IST |

નિંદાઓ કદી પણ મને કઠોર નથી બનાવતી : કંગના રનોટ

નિંદાઓ કદી પણ મને કઠોર નથી બનાવતી : કંગના રનોટ


કંગના રનોટનું કહેવું છે કે નિંદાઓ તેને કદી પણ કઠોર નથી બનાવતી. બૉલીવુડમાં નેપોટિઝમ પર તે બિન્દાસ પોતાના વિચારો વ્યક્ત કરે છે. વિવિધ વિષયો પર પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું જ્યારે પણ કોઈ વિષય પર અવાજ બુલંદ કરું છું તો એક બાબત હંમેશાં ધ્યાનમાં રાખુ છું કે એની પાછળનો મારો ઇરાદો શું છે; કારણ કે નેપોટિઝમ, સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ, ફીઝને લઈને અસમાનતા અને ખરાબ વર્તન માટે મેં જ્યારે પણ નામ લીધાં છે ત્યારે એણે મારી કરીઅર પર અસર પાડી છે.

જોકે આ તમામ મુદ્દાઓ તરફ આંખ આડા કાન ન કરી શકાય. ટીકાઓ કદી પણ મને કઠોર નથી બનાવતી. આજે લોકો મુક્તતાથી નેપોટિઝમ વિશે બોલે છે. એ વિશે લોકોની પોતાની વિચારધારા છે. શું આ અગાઉ કોઈએ આ વિશે ચર્ચા કરી હતી? મારા માટે મોટાં લક્ષ મેળવવાં એ અગત્યનું છે. જે મુદ્દાઓ વર્ષોથી દબાવીને રાખ્યા હતા એના વિશે લોકો ચર્ચા કરવા લાગ્યા છે.’



આ પણ વાંચો: સેક્રેડ ગેમ્સ માટે નવાઝુદ્દીનની પ્રશંસા કરી પાઓલો કોએલ્હોએ


એક ઍક્ટ્રેસ તરીકે હું મારી ફિલ્મોને લઈને કરવામાં આવતી નિંદાઓને આવકારું છું, કારણ કે એ મારા કામનો જ એક ભાગ છે. એને લઈને મારા દિલમાં કોઈ પણ પ્રકારનો રોષ નથી. જોકે એવાં કેટલાંય કામો છે જે હું સમાજના હિતમાં કરી રહી છું. ઉદાહરણ તરીકે પર્યાવરણને બચાવવા માટે જાગૃતિ લાવવી, વૃક્ષ વાવવાં, નદીઓનું રક્ષણ કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. જો કોઈ મારાં આ કાર્યોની મજાક ઉડાવતું હોય તો હું એ સાંખી નહીં લઉં.’
- કંગના રનોટ


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 12:01 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK