Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કહત હનુમાન જય શ્રીરામ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરશે કંચન શર્મા

કહત હનુમાન જય શ્રીરામ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરશે કંચન શર્મા

09 August, 2020 12:53 PM IST | Mumbai Desk
Agencies

કહત હનુમાન જય શ્રીરામ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરશે કંચન શર્મા

કંચન શર્મા

કંચન શર્મા


કંચન શર્મા ‘કહત હનુમાન જય શ્રીરામ’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરવાની છે. ૨૦૧૩માં આવેલી ‘મહાભારત’ સિરિયલમાં શકુનિ બનનાર પ્રણીત ભટ્ટની તે વાઇફ છે. ‘કહત હનુમાન જય શ્રીરામ’માં તે શનિ ભગવાનની વાઇફ મંદાના રોલમાં જોવા મળશે. આ શો વિશે કંચન શર્માએ કહ્યું હતું કે ‘હું હંમેશાં સ્મૉલ સ્ક્રીન પર પૌરાણિક શો દ્વારા એન્ટ્રી કરવા માગતી હતી. હા, આના દ્વારા મારું સપનું પૂરું થયું છે. આ શોમાં હું શનિ ભગવાનની વાઇફ મંદાનો રોલ ભજવવાની છું. તે હંમેશાં હનુમાનની એક માની જેમ કાળજી લે છે. રિયલ લાઇફમાં હું ભગવાન શિવ, શનિ અને હનુમાનની ભક્ત છું. હું ૧૦ વર્ષથી મુંબઈમાં રહું છું. હું હંમેશાં હનુમાન મંદિરે જાઉં છું અને મારા માટે તો ભગવાન હનુમાનનો આ એક આશીર્વાદ છે કે મારી પસંદગી આ શો માટે થઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 12:53 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK