Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મા દુર્ગા પાસે મેં આજ સુધી કંઈ નથી માગ્યુ : કાજોલ

મા દુર્ગા પાસે મેં આજ સુધી કંઈ નથી માગ્યુ : કાજોલ

06 October, 2019 11:10 AM IST | મુંબઈ

મા દુર્ગા પાસે મેં આજ સુધી કંઈ નથી માગ્યુ : કાજોલ

કાજોલની સાથે રાની મુખરજી અને આયાન મુખરજી પણ માતાને શરણે : કાજોલની સાથે રાની મુખરજીએ પણ તેના કઝીન આયાન મુખરજી સાથે મા દુર્ગાના આર્શિવાદ લીધા હતા. રાની તેના ફૅમિલી સાથે જોવા મળી હતી. તસવીર : સતેજ શિંદે

કાજોલની સાથે રાની મુખરજી અને આયાન મુખરજી પણ માતાને શરણે : કાજોલની સાથે રાની મુખરજીએ પણ તેના કઝીન આયાન મુખરજી સાથે મા દુર્ગાના આર્શિવાદ લીધા હતા. રાની તેના ફૅમિલી સાથે જોવા મળી હતી. તસવીર : સતેજ શિંદે


નવરાત્રીના પાવન અવસરે ધ નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજામાં માતાના આશિર્વાદ લેવા પહોંચેલી કાજોલે જણાવ્યું હતું કે તે કદી પણ મા દુર્ગા પાસે કશુ નથી માગતી. મુંબઈમાં આ સૌથી જુનુ દુર્ગા પૂજાનું પંડાલ છે. અહીં ૭૦ વર્ષથી માતાના આ તહેવારને ઉજવવામાં આવે છે. આ મંડપમાં બપ્પી લાહિરી, રાની મુખરજી, અયાન મુખરજી સહિત અનેક સેલિબ્રિટીઝ માતાના દર્શન કરવા આવે છે. કાજોલ પ‌ણ તેની મમ્મી તનુજા સાથે પહોંચી હતી. દુર્ગા પૂજા વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં કાજોલે કહ્યું હતું કે ‘અમને મા દુર્ગામાં અપાર આસ્થા છે. અમે નવરાત્રીનો આ પર્વ ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે મનાવીએ છીએ. મારા મતે મા સર્વોપરિ છે. આ તહેવારને અમે ખૂબ જ ઉમંગ સાથે ઉજવીએ છીએ.

આ પણ વાંચો : જૅકી ચૅન અને હૃતિક રોશન મારી પ્રેરણા છે : ટાઇગર શ્રોફ



નવ દિવસ દરમ્યાન અમે સેવા પણ આપીએ છીએ. મા દુર્ગા પાસે હું કદી પણ કંઈ માગતી નથી. હું જ્યારે પણ મંદિરમાં જાઉં છું અથવા ભગવાનનાં આશિષ લઉં છું, ત્યારે હું માનું છું કે તેમની પાસે કશુ માગવા કરતાં તેમણે જે આપ્યું છે એના માટે તેમનો આભાર વ્યકત કરવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 11:10 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK