Batla Houseનું નવું ટીઝર રિલીઝ, જૉન અબ્રાહમે ઉઠાવ્યો મોટો સવાલ
કેટલાક દિવસો પહેલા જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસનું પહેલું ટીઝર રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં જૉન અબ્રાહમ સંજીવકુમાર યાદવનું પાત્ર ભજવી રહ્યા છે, જેમના નેતૃત્વમાં એક દાયકા પહેલા 19 સપ્ટેમ્બર 2008ના રોજ એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓ વિરુદ્ધ દિલ્હીના જામિયા નગરમાં બાટલા હાઉસ વિસ્તારમાં કરાયેલા ઓપરેશનને ઓપરેશન બાટલા હાઉસના નામથી ઓળખાય છે.
પહેલા ઈન્ટેન્સ ટીઝર બાદ જૉન અબ્રાહમે હવે ઈન્સ્ટાગ્રામ પર વધુ એક ટીઝર શૅર કર્યું છે. આ નવા વીડિયોમાં કેટલાક રાજનેતાઓ એવું બોલતા દેખાય છે કે આ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા તમામ યુવાનો વિદ્યાર્થીઓ હતા અને આ એક નકલી એન્કાઉન્ટર હતું. જે બાદ પોલીસ વિરુદ્ધ આખા દિલ્હીમાં વિરોધ શરૂ થઈ જાય છે. બાદમાં આ ટીઝરમાં જૉન અબ્રાહમનો ડાઈલોગ છે, જેમાં તે બોલે છે કે,'અમે ના નથી પાડતા કે તે વિદ્યાર્થીઓ નહોતા, પરંતુ શું તેઓ નિર્દોષ હતા ?' આ વીડિયોના કેપ્શનમાં જૉને લખ્યું છે,'દેશભરમાં અંતહીન વિરોધ બાદ અંતહીન આરોપો, સત્યની તપાસ હજી પણ ચાલુ છે. જુઓ વીડિયો'
ADVERTISEMENT
'
ફિલ્મ બાટલા હાઉસને ડિરેક્ટર નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી છે અને ભૂષણ કુમાર અને જૉન અબ્રાહમે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં જૉન અબ્રાહમ સાથે આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. ફિલ્મ બાટલા હાઉસ 15 ઓગસ્ટ, 2019ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મની સાથે સાથે 15 ઓગસ્ટે અક્ષયકુમારની મિશન મંગલ અને પ્રભાસની સાહો રિલીઝ થઈ રહી છે.