‘પાગલપંતી’માં શ્રીદેવીના સૉન્ગને રીક્રીએટ કરશે ઉર્વશી રાઉતેલા અને જૉન
ઉર્વશી રાઉતેલા અને જૉન એબ્રાહમ
ઉર્વશી રાઉતેલા અને જૉન એબ્રાહમ તેમની ‘પાગલપંતી’માં શ્રીદેવીનું ફેમસ ગીત ‘તેરા બીમાર મેરા દિલ’ને રીક્રીએટ કરતાં જોવા મળશે. આ ગીત શ્રીદેવીની ‘ચાલબાઝ’નું છે. ફિલ્મ બાવીસમી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી અને ક્રિતી ખરબંદા પણ જોવા મળશે. આ ગીત વિશે ઉર્વશીએ કહ્યું હતું કે ‘આ ગીતને શૂટ કરતી વખતે હું ખૂબ નર્વસ હતી. આ ગીતને રીક્રીએટ કરવું એ એક પ્રકારે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ છે. હું આ ગીતને પૂરી રીતે ન્યાય આપવા માગતી હતી. લોકો આ ગીતને ખૂબ એન્જૉય કરશે.
આ પણ વાંચો : 'નાયક' ફિલ્મની જેમ CM બનાવવાની ફૅન્સની અપીલ પર અનિલ કપૂરે કહ્યું...
ADVERTISEMENT
મને પણ આશા છે કે લોકોને આ ગીત ખૂબ પસંદ પડશે. ‘પાગલપંતી’ એક એવી ફિલ્મ છે જેને ચાર વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષના વયોવૃદ્ધ પણ જોઈ શકશે અને માણી શકશે. આ ફિલ્મ અને આ ગીતનો ભાગ બનવાથી હું ખૂબ આભારી છું.’