બેહદની સેકન્ડ સીઝન પહેલાં જેનિફરે કર્યો ત્રણ મહિનાનો યોગ કોર્સ
જેનિફર વિંગેટ
સોમવારથી સોની ટીવી પર શરૂ થઈ રહેલી ઇન્ડિયન ટેલિવિઝનની મોસ્ટ અવેઇટેડ કહેવાય એવી ‘બેહદ’ની સેકન્ડ સીઝન માટે જેનિફર વિંગેટે લગભગ ચાર મહિના પહેલાંથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. જેનિફરે કહ્યું હતું કે ‘માયા જે છે એ કૅરૅક્ટર નથી, એક ફીલિંગ્સ છે, જે આ વખતે વધારે આક્રમક થઈને બદલા માટે હુમલો કરવાની છે. માયા વાર કરતી વખતે કોઈનો વિચાર નહીં કરે અને વાર કરવામાં તે જરાય વિચલિત પણ નહીં થાય.’
માયાના આ કૅરૅક્ટર માટે જેનિફરે ત્રણ મહિના પહેલાં જ યોગ જૉઇન કરી લીધું હતું અને પાવર યોગમાં માસ્ટરી મેળવી હતી. યોગથી આંતરિક શાંતિ વધતી હોવાથી જેનિફરે પોતાના કૅરૅક્ટરને ડેવલપ કરવામાં યોગની મદદ લીધી હતી. જેનિફરે માયા જયસિંહ નામની સ્ટોરી-રાઇટરનું કૅરૅક્ટર કર્યું છે, જેને ક્યારેય કોઈએ જોઈ નથી. માયાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેણે ક્યારેય બ્લૅક કલર સિવાયનાં કપડાં નથી પહેર્યાં.