Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તિરુપતિમાં લગ્ન કરવા માગે છે જાહ્‌નવી કપૂર

તિરુપતિમાં લગ્ન કરવા માગે છે જાહ્‌નવી કપૂર

06 March, 2021 03:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તિરુપતિમાં લગ્ન કરવા માગે છે જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂર


જાહ્‌નવી કપૂરની ઇચ્છા તિરુપતિમાં લગ્ન કરવાની છે અને સાથે જ તેના હસબન્ડે લુંગી પહેરી હોય. જાહ્‌નવી હાલમાં પટિયાલામાં ‘ગુડ લક જેરી’નું શૂટિંગ કરી રહી છે. તેણે તિરુપતિમાં અનેક લગ્નમાં હાજરી આપી છે એથી તેની ઇચ્છા પણ ત્યાં જ લગ્ન કરવાની છે. આ વિશે વધુ જણાવતાં જાહ્‌નવીએ કહ્યું હતું કે ‘મેં શરૂઆતથી જ મારા મનમાં ધારીને રાખ્યું હતું કે હું તિરુપતિમાં લગ્ન કરવા માગું છું. એ ખૂબ જ નાનકડું ફંક્શન રહેશે. મેં એ પણ નક્કી કરી રાખ્યું છે કે હું ગોલ્ડ જરીની કાંજીવરમ સાડી પહેરીશ અને વાળમાં ઘણાબધા મોગરાના ગજરા લગાવીશ. મારો હસબન્ડ લુંગી પહેરશે. અમે કેળનાં પત્તાંમાં જમીશું.’

તિરુપતિમાં લગ્ન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે જાહ્‌નવીએ કહ્યું હતું કે ‘હું અનેક વખત તિરુપતિ ગઈ છું. એવામાં જ્યારે જીવનમાં કોઈ મોટું પગલું ભરવું હોય તો મારી ઇચ્છા અહીં મારી પસંદની



વ્યક્તિ સાથે લગ્ન કરવાની છે. સાથે જ ભૂતકાળમાં મેં અનેક ફૅમિલી મેમ્બર્સનાં લગ્ન અટેન્ડ કર્યાં છે અને એને ખૂબ એન્જૉય પણ કર્યાં છે. મને ભવ્ય લગ્નની કોઈ ઇચ્છા નથી. આવાં લગ્નમાં સામેલ થવું ગમે, પરંતુ આટલી મોટી ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બનવાથી હું ગભરાઈ જાઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2021 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK