તિરુપતિમાં લગ્ન કરવા માગે છે જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરની ઇચ્છા તિરુપતિમાં લગ્ન કરવાની છે અને સાથે જ તેના હસબન્ડે લુંગી પહેરી હોય. જાહ્નવી હાલમાં પટિયાલામાં ‘ગુડ લક જેરી’નું શૂટિંગ કરી રહી છે. તેણે તિરુપતિમાં અનેક લગ્નમાં હાજરી આપી છે એથી તેની ઇચ્છા પણ ત્યાં જ લગ્ન કરવાની છે. આ વિશે વધુ જણાવતાં જાહ્નવીએ કહ્યું હતું કે ‘મેં શરૂઆતથી જ મારા મનમાં ધારીને રાખ્યું હતું કે હું તિરુપતિમાં લગ્ન કરવા માગું છું. એ ખૂબ જ નાનકડું ફંક્શન રહેશે. મેં એ પણ નક્કી કરી રાખ્યું છે કે હું ગોલ્ડ જરીની કાંજીવરમ સાડી પહેરીશ અને વાળમાં ઘણાબધા મોગરાના ગજરા લગાવીશ. મારો હસબન્ડ લુંગી પહેરશે. અમે કેળનાં પત્તાંમાં જમીશું.’
તિરુપતિમાં લગ્ન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે જાહ્નવીએ કહ્યું હતું કે ‘હું અનેક વખત તિરુપતિ ગઈ છું. એવામાં જ્યારે જીવનમાં કોઈ મોટું પગલું ભરવું હોય તો મારી ઇચ્છા અહીં મારી પસંદની
ADVERTISEMENT
વ્યક્તિ સાથે લગ્ન કરવાની છે. સાથે જ ભૂતકાળમાં મેં અનેક ફૅમિલી મેમ્બર્સનાં લગ્ન અટેન્ડ કર્યાં છે અને એને ખૂબ એન્જૉય પણ કર્યાં છે. મને ભવ્ય લગ્નની કોઈ ઇચ્છા નથી. આવાં લગ્નમાં સામેલ થવું ગમે, પરંતુ આટલી મોટી ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બનવાથી હું ગભરાઈ જાઉં છું.’