Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પુલવામા હુમલોઃ દરેક શહીદના પરિવારને અમિતાભ બચ્ચન કરશે મદદ

પુલવામા હુમલોઃ દરેક શહીદના પરિવારને અમિતાભ બચ્ચન કરશે મદદ

16 February, 2019 07:27 PM IST |

પુલવામા હુમલોઃ દરેક શહીદના પરિવારને અમિતાભ બચ્ચન કરશે મદદ

અમિતાભ બચ્ચન કરશે શહીદોના પરિવારને મદદ

અમિતાભ બચ્ચન કરશે શહીદોના પરિવારને મદદ


પુલવામામાં શહીદ થયેલા જવાનોને આજે અંતિમ વિદાય આપવામાં આવી. બોલીવુડ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે અમિતાભ બચ્ચન પણ શહીદોને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે.

ગુરુવારે જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા હતા. ત્યારથી સોશિયલ મીડિયામાં આ હુમલાની ખૂબ જ નિંદા થઈ રહી છે. આખો દેશ આ જવાનોના પરિવાર સાથે ઉભો નજર આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચેને દરેક શહીદના પરિવારને 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. કુલ મળીને આ રકમ 2.45 કરોડ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમિતાભ બચ્ચનની ટીમ અત્યારે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેથી જલ્દીથી જલ્દી પરિવારો સુધી મદદ પહોંચી શકે. અમિતાભ બચ્ચનની ટીમે આ વાતની પુષ્ટિ પણ કરી છે.

આ પણ વાંચોઃ કપિલ શર્માના શોમાંથી નવજોતસિંહ સિદ્ધૂની હકાલપટ્ટીના અહેવાલ



અમિતાભ બચ્ચન વિરાટ કોહલી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપવાના હતા, જો કે આ કાર્યક્રમ વિરાટે રદ્દ કર્યો છે. આ પહેલા પણ બિગ બી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદોના 44 પરિવારોને 2 કરોડ 25 લાખની રકમ દાનમાં આપી ચુક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 07:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK