Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની ફિલ્મ દિલ બેચારાને થિયેટર્સમાં જ રિલીઝ કરવી જોઈએ: દિલજિત

સુશાંતની ફિલ્મ દિલ બેચારાને થિયેટર્સમાં જ રિલીઝ કરવી જોઈએ: દિલજિત

01 July, 2020 07:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંતની ફિલ્મ દિલ બેચારાને થિયેટર્સમાં જ રિલીઝ કરવી જોઈએ: દિલજિત

સુશાંતની ફિલ્મ દિલ બેચારાને થિયેટર્સમાં જ રિલીઝ કરવી જોઈએ: દિલજિત


દિલજિત દોસંજનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવી જોઈએ. સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કરીને દરેકને આઘાત આપ્યો હતો. તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને હવે ડિઝની+હૉટસ્ટાર પર 24 જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં જોઈ શકશે. સુશાંતની ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિલજિત દોસંજે કૅપ્શન આપી હતી કે ‘આ વીરને હું બે વાર મળ્યો હતો. એકદમ જાનદાર બંદા થા યાર. આ ફિલ્મ થિયેટર્સમાં જ રિલીઝ થવી જોઈતી હતી.’



સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ‘પવિત્ર રિશ્તા’ને ફરી ટીવી પર રજૂ કરવામાં આવશે. સુશાંત ‘પવિત્ર રિશ્તા’ દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ બન્યો હતો. 14 જૂને તેણે સુસાઇડ કર્યું હતું અને એનાથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે તેના ચાહકોને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો. સુશાંતને ટ્રિબ્યુટ આપવા માટે ઝી અનમોલ પર આ શોને ફરીથી રજૂ કરવામાં આવશે. આ શોને સોમવારથી રવિવાર દરમ્યાન રોજ ચારથી છ દરમ્યાન રજૂ કરવામાં આવશે. આ શોમાં તેણે માનવ દેશમુખનું પાત્ર ભજવ્યું હતું. આ શો દ્વારા સુશાંતને તેની લાઇફમાં બે ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ મળી હતી, જે છે એકતા કપૂર અને અંકિતા લોખંડે. અંકિતા લોખંડે સાથે તે લગ્ન કરવાનો હતો, પરંતુ છ વર્ષની રિલેશનશિપ બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2020 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK