સોની ટીવી પર આવશે ટીવીનો સૌપ્રથમ આઇવીએફ આધારિત શો
૨૦૧૯માં આવેલી અક્ષયકુમાર-કરીના કપૂરની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ આઇવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટ્રીટમેન્ટ પર બેઝ્ડ હતી જે એની કન્ટેન્ટ ટ્રીટમેન્ટ અને હ્યુમરને લીધે સુપરહિટ સાબિત થઈ હતી. આ જ વિષયને લઈને ટીવી પર પહેલી વખત કોઈ શો બનવા જઈ રહ્યો છે અને એની ક્રેડિટ સોની ટીવી લઈ જવાનું છે. સોની ટીવી આઇવીએફ આધારિત નવો શો લૉન્ચ કરવાનું છે જેનું નામ હશે ‘નાઇન મન્થ્સ’. રંગરેઝ પ્રોડક્શન નિર્મિત આ શોથી ‘પ્યાર કી એક કહાની’ અને ‘દિલ મિલ ગયે’ ફેમ સુકીર્તિ કંદપાલ લાંબા સમયે ટીવી પર કમબૅક કરવાની છે અને તે લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત કનુપ્રિયા પંડિત (કસૌટી ઝિંદગી કી 2) અને દધી પાંડે (દબંગ) પણ આ શો સાથે જોડાયાં છે. લૉકડાઉન ખૂલ્યા બાદ મેકર્સ આ શોનું શૂટિંગ શરૂ કરવાની રાહમાં છે.