Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શા માટે વાયુસેના ભડકી અનિલ કપૂર ઉપર?

શા માટે વાયુસેના ભડકી અનિલ કપૂર ઉપર?

09 December, 2020 07:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શા માટે વાયુસેના ભડકી અનિલ કપૂર ઉપર?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor)ના આવનારા પ્રોજેક્ટ ‘AK vs AK’માં વાયુસેના અધિકારીને જે રીતે દર્શાવવામાં આવ્યો છે, તેના પર વાયુસેના (Indian Air Force)એ વાંધો ઉઠાવ્યો છે.

બુધવારના વાયુસેના તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાંથી આ પ્રકારના સીન તરત હટાવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે ઑનલાઇન પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ પર એક પ્રોજેક્ટ આવવાનો છે, જેનું નામ ‘AK vs AK’ છે.




તાજેતરમાં આનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું, જેમાં અનિલ કપૂર એક વાયુસેના અધિકારીની વર્દી પહેરેલો જોવા મળી રહ્યો છે. સીનમાં અનિલ કપૂર બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની સાથે છે અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે વાયુસેનાએ આ વિડીયોને રિટ્વીટ કરતા કહ્યું છે કે આ વિડીયોમાં વાયુસેનાની વર્દીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભાષા પણ યોગ્ય નથી. આ દેશ માટે વર્દી પહેરનારા જવાનોનું યોગ્ય દ્રશ્ય નથી, આવામાં આ સીનને હટાવવો જોઇએ.


આ ફિલ્મના પ્રમોશન માટે થોડાક દિવસ પહેલા અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ વચ્ચે સોશિયલ મીડિયા પર ઝગડો પણ થયો હતો. બંનેએ એક-બીજાના કેરિયરને લઈને મજાક ઊડાવી હતી. બંનેએ એક-બીજા પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી, જેને જોઇને લાગી રહ્યું હતુ કે જાણે બંને સાચે જ લડી રહ્યા હોય. જો કે આ ફક્ત ફિલ્મના પ્રમોશનનો ભાગ હોવાનું કહેવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2020 07:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK