Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અસલામતીની ભાવના મારા કામમાં કદી પણ નથી આવતી : ઇલિયાના ડિક્રુઝ

અસલામતીની ભાવના મારા કામમાં કદી પણ નથી આવતી : ઇલિયાના ડિક્રુઝ

12 November, 2019 12:31 PM IST | Mumbai

અસલામતીની ભાવના મારા કામમાં કદી પણ નથી આવતી : ઇલિયાના ડિક્રુઝ

સ્ટાઇલ મેં રહને કા: ઇલિયાના ‌ડિક્રુઝ ગઈ કાલે જુહુમાં આવેલી એક હોટેલમાં તેની ફિલ્મ ‘પાગલપંતી’ની પ્રમોશનલ ઇવેન્ટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તે સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. તસવીર : સતેજ શિંદે

સ્ટાઇલ મેં રહને કા: ઇલિયાના ‌ડિક્રુઝ ગઈ કાલે જુહુમાં આવેલી એક હોટેલમાં તેની ફિલ્મ ‘પાગલપંતી’ની પ્રમોશનલ ઇવેન્ટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તે સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. તસવીર : સતેજ શિંદે


ઇલિયાના ડિક્રુઝે જણાવ્યું છે કે અસલામતીની લાગણી તેનાં કામમાં કદી પણ નથી દેખાઈ આવી. અનીસ બઝમીની ‘પાગલપંતી’માં ઇલિયાના જોવા મળવાની છે. ‘મુબારકાં’ બાદ તે બીજી વખત અનીસ બઝમી સાથે કામ કરી રહી છે. તેનું માનવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું ઇમોશન્સથી ભરેલુ છે. જોકે પોતાનો ઉછેર એવી રીતે થયો છે કે સ્થિરતા તેનામાં આપમેળે આવી ગઈ છે. આ વિશે જણાવતા ઇલિયાનાએ કહ્યું હતું કે ‘મારો ઉછેર ખૂબ જ સ્ટ્રૉન્ગ પેરન્ટ્સે કર્યો છે. મને એમ શીખવવામાં આવ્યું હતું કે પોતાના પર ગર્વ થાય એવી વ્યક્તિ બનો. સાથે જ પોતાપણું પણ ના ગુમાવવુ જોઈએ. જોકે ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિ તરીકેની અસલામતીની લાગણી તો હતી, જે કદી પણ મારા કામમાં નથી દેખાઈ આવી.

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી



મારા કામની વાત આવે તો હું સુપર સિક્યોર બની જાઉં છું. હું એક સાથે ૨૦ કલાકારો સાથે પણ કામ કરી શકું છું, કારણ કે હું મારી જાતને સારી રીતે ઓળખુ છું. હું અલગ છું અને મારા માટે એ ઠીક છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 12:31 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK