Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આર્યામાં મને જવાહરના પાત્ર માટે પસંદ કર્યો એની મને નવાઈ લાગી:નમિત દાસ

આર્યામાં મને જવાહરના પાત્ર માટે પસંદ કર્યો એની મને નવાઈ લાગી:નમિત દાસ

19 June, 2020 09:48 PM IST | Mumbai Desk
Harsh Desai | harsh.desai@mid-day.com

આર્યામાં મને જવાહરના પાત્ર માટે પસંદ કર્યો એની મને નવાઈ લાગી:નમિત દાસ

નમિત દાસ

નમિત દાસ


નમિત દાસનું કહેવું છે કે તેના આગામી શો ‘આર્યા’ માટે તેને જવાહરના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો એની તેને પણ નવાઈ લાગી હતી. આ શોમાં તેની સાથે સુસ્મિતા સેન, ચંદ્રચૂડ સિંહ, સિકંદર ખેર, જયંત ક્રિપલાણી, સોહેલા કપૂર, સુગંધા ગર્ગ જેવા ઘણા ઍક્ટર્સ છે. ‘આર્યા’ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ એક હૉટસ્ટાર સ્પેશ્યલ્સ સિરીઝ છે જેને રામ માધવાણી, સંદીપ મોદી અને વિનોદ રાવત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ શોમાં ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ડેઇલી બિઝનેસ હોય છે અને લોકોને ધોખો આપવો એક સામાન્ય વસ્તુ છે. ડચ ક્રાઇમ શો ‘પેનોઝા’ની આ ઑફિશ્યલ રીમેક છે જે આજે રિલીઝ થઈ રહી છે. આ શોમાં નમિત દાસ જવાહરનું પાત્ર ભજવી રહ્યો છે જે આર્યાથી એકદમ વિરોધાભાસી હોય છે. આ પાત્ર વિશે વાત કરતાં નમિત દાસે કહ્યું હતું કે ‘મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે મારે જવાહરનું પાત્ર ભજવવાનું છે. મને ખૂબ જ નવાઈ લાગી હતી કે મને શું કામ આ પાત્ર ઑફર કરવામાં આવ્યું છે, કારણ કે મેં મારી લાઇફમાં ભજવેલાં તમામ પાત્રોથી આ એકદમ અલગ હતું. આર્યાના જીવનનાં જે પણ મૂલ્યો છે એનાથી જવાહર એકદમ વિરોધાભાસી છે અને એથી જ મને આ પાત્ર એક્સાઇટિંગ લાગ્યું હતું. જવાહર એક આઉટસાઇડર હોય છે અને ફૅમિલીનો હિસ્સો બનવા માટે વલખાં મારતો હોય છે. જોકે તે હંમેશાં એવી પરિસ્થિતિમાં મુકાય છે જ્યાંથી સ્ટોરી આગળ વધે છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2020 09:48 PM IST | Mumbai Desk | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK