હું માત્ર મારા અંતરાત્માનો અવાજ સાંભળું છું : વિદ્યા બાલન
વિદ્યા બાલન
વિદ્યા બાલનનું કહેવું છે કે તે હંમેશાં તેના અંતરાત્માની વાત સાંભળે છે. તેણે ૨૦૦૫માં ‘પરિણીતા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની ‘શકુંતલાદેવી : હ્યુમન કમ્પ્યુટર’ 31 જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. પોતાની મરજી પ્રમાણે ચાલતી વિદ્યાએ કહ્યું હતું કે ‘હું અવિનયી નથી બનવા માગતી, પરંતુ હું હંમેશાં મારા અંતરાત્માની વાત સાંભળું છું. મને સલાહ આપનાર લોકો પર હું વધુ ધ્યાન નથી આપતી. જો તેમની સલાહ મારી વિચારધારા કરતાં અલગ હોય તો પણ મને જે પસંદ હોય હું એ જ કરું છું. એક ઍક્ટર તરીકે મને સ્ક્રીન પર અલગ મહિલાઓનાં પાત્ર ભજવવાં અને તેમની લાઇફ જીવવી ગમે છે. મને જ્યારે કોઈ તક મળે છે તો હું એને પૂરા સમર્પણ સાથે પૂરી કરું છું.’