Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમારને કારણે લક્ષ્મીનો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી આશા છે:રાઘવ

અક્ષયકુમારને કારણે લક્ષ્મીનો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી આશા છે:રાઘવ

10 November, 2020 06:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમારને કારણે લક્ષ્મીનો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી આશા છે:રાઘવ

રાઘવ લૉરેન્સ, અક્ષયકુમાર

રાઘવ લૉરેન્સ, અક્ષયકુમાર


અક્ષયકુમારની ‘લક્ષ્મી’નો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સને આશા છે. આ ફિલ્મ ગઈ કાલે રાતે સાત વાગ્યે અને પાંચ મિનિટે ડિઝની + હૉટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલાં રાઘવ લૉરેન્સ ઇમોશનલ થયો હતો અને તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં રાઘવે લખ્યું હતું કે ‘હેલો ફ્રેન્ડ્સ અને ફૅન્સ. મારી હિન્દી ડેબ્યુ ફિલ્મ ‘લક્ષ્મી’ રિલીઝ થઈ છે. મારી તેલુગુ ‘કંચના’ દ્વારા મેં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એ વિશે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. લોકો અને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી દ્વારા એને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એ જ રીતે જ્યારે અક્ષય સર હિન્દી રીમેકમાં કામ કરી રહ્યા છે ત્યારે આ મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું. સામાન્ય રીતે મોટા ઍક્ટર્સ આવાં પાત્રોને પસંદ નથી કરતા. જોકે અક્ષય સર ખૂબ જ સારા વ્યક્તિ છે અને તેમને સોસાયટીની પરવા હોવાથી તેમણે ઘણી મેસેજ આપતી ફિલ્મો પણ કરી છે. હું ખાસ કરીને અક્ષયકુમારનો આ ફિલ્મ કરવા માટે આભાર માનું છું. ફિલ્મની પ્રોસેસ માટે હું મારી બહેન શબિના, તુષાર સર, ખૂબ જ સારી ઍક્ટિંગ કરવા માટે કિયારા અડવાણી અને મારા ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી વેટ્રી, મારા કો-ડિરેક્ટર્સ અને મારા ટેક્નિશ્યનનો આભાર માનું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK