સુશાંતને તેના ચાહકોને કારણે વધુ સારી રીતે ઓળખી શકી છે સુસ્મિતા
સુશાંત સિંહ રાજપૂત, સુસ્મિતા સેન
સુશાંત સિંહ રાજપૂતને ન ઓળખવાનું અને તેની સાથે કામ ન કર્યું હોવાનું દુઃખ છે સુસ્મિતા સેનને. સુશાંતે 14 જૂને સુસાઇડ કર્યું હતું. સુસ્મિતા અને સુશાંત બન્નેને 47 નંબર ખૂબ જ પસંદ છે. સુશાંત વિશે વાત કરતાં સુસ્મિતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘હું અંગત રીતે સુશાંતને નથી ઓળખતી.હું તેની ફિલ્મો અને ઇન્ટરવ્યુના આધારે તેને ઓળખતી હતી. તેનું ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન ઇમોશનલ ઇન્ટેલિજન્સ કાબિલે દાદ હતું. તેના ચાહકો દ્વારા હું સુશાંતને વધુ સારી રીતે ઓળખતી થઈ છું. તેણે સિમ્પ્લિસિટી, પ્રેમ, નમ્રતા અને તેની સ્માઇલ દ્વારા કરોડો લોકોનાં દિલ જીત્યાં છે. હું તેના દરેક ફૅનને કહેવા માગું છું કે તેના પર ભગવાનનો આશીર્વાદ હતો કે તેને તમારો પ્રેમ મળ્યો. તે એક સારો ઍક્ટર હોવાની સાથે અદ્ભુત વ્યક્તિ પણ હતો. કાશ હું તેને ઓળખતી હોત અને તેની સાથે કામ કરવાની મને તક મળી હોત. એક સુશને બીજા સુશ સાથે યુનિવર્સને લઈને વાત કરવા માટે સમય મળ્યો હોત. અમને બન્નેને 47 નંબર કેમ પસંદ છે એ પણ અમે જાણી શક્યાં હોત. તેની ‘દિલ બેચારા’નું ટ્રેલર ખૂબ જ પસંદ પડ્યું છે. આ ફિલ્મની ટીમને શુભેચ્છા. સુશાંતની ફૅમિલી અને ફ્રેન્ડ્સ અને તેના ચાહકોને મારા પ્રણામ.’