મને તો ૫૮ ટકા જ મળ્યા હતા
આર માધવન
બૉર્ડની પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓના ઓછા ટકા આવ્યા હોય તેમને નાસીપાસ ન થવા પ્રોત્સાહન આપતાં આર. માધવને જણાવ્યું હતું કે તેને બોર્ડની એક્ઝામમાં માત્ર 58 ટકા જ આવ્યા હતા. ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોતાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને આર. માધવને ટ્વીટ કર્યું હતું કે ‘જેમનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે તેમને હાર્દિક શુભકામના. સાથે જ તેમને પણ જેમની વધુ ટકા મેળવવાની અપેક્ષાઓ પૂરી થઈ છે. બાકીના વિદ્યાર્થીઓને હું એમ કહેવા માગું છું કે મારી બોર્ડની એક્ઝામમાં મને માત્ર 58 ટકા જ આવ્યા હતા. મારા ફ્રેન્ડ્સ, ગેમની તો હજી શરૂઆત પણ નથી થઈ.’