હું મારી જાતને આઉટસાઇડર નથી માનતો : અમિત સાધ
અમિત સાધ
અમિત સાધ કહે છે કે તે પોતાની જાતને આઉટસાઇડર નથી ગણતો. તેનું ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન નહોતું. તેણે 2002માં ‘ક્યૂં હોતા હૈ પ્યાર’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. પોતાના વિશે જણાવતાં અમિત સાધે કહ્યું હતું કે ‘હું મારી જાતને આઉટસાઇડર નથી ગણતો. હું અંદરની જ વ્યક્તિ છું. હું ભારતની સલામત સીમાઓની અંદર વસું છું. દરેક વ્યક્તિ અંદરની જ છે. કોઈ વ્યક્તિને એ અધિકાર ન આપો કે તે તમને આઉટસાઇડર માને કે આઉટસાઇડર કહીને બોલાવે. હું હજી એક વાત ટાંકવા માગું છું કે મોટી ઉંમરના લોકો કે પછી મોટી પૉઝિશન પર હોય અથવા તો વધુ સમજ ધરાવતા હોય તેમની એ જવાબદારી હોવી જોઈએ કે તેઓ તેમના જુનિયર સાથે આઇટસાઇડર જેવો વ્યવહાર ન કરે. હું આશા રાખું છું કે જ્યાં સુધી હું ઇન્ડસ્ટ્રીમાં રહીશ ત્યાં સુધી આઇટસાઇડર-ઇનસાઇડરની ડિબેટ નહીં થવા દઉં. એના કરતાં તો અગત્યના જરૂરી મુદ્દાઓ પર ચર્ચા થાય એ વિશે વધુ સમય આપીશ.’