Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું હાલમાં લગ્ન નથી કરી રહ્યો : અર્જુન કપૂર

હું હાલમાં લગ્ન નથી કરી રહ્યો : અર્જુન કપૂર

09 May, 2019 12:03 PM IST | મુંબઈ

હું હાલમાં લગ્ન નથી કરી રહ્યો : અર્જુન કપૂર

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર


અર્જુન કપૂરનું કહેવું છે કે તે હાલમાં લગ્ન નથી કરી રહ્યો. તેનું કહેવું છે કે તે જ્યારે પણ લગ્ન કરવાનું નક્કી કરશે ત્યારે તે તેના ચાહકોને જણાવશે. મલાઇકા અરોરા સાથેની રિલેશનશિપ બાદ તેઓ લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. તેઓ એપ્રિલ અથવા તો મેમાં લગ્ન કરશે એવી વાતોએ જોર પકડ્યું હતું. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘હું લગ્ન નથી કરી રહ્યો. જો હું લગ્ન કરવા જઈ રહ્યો હોઈશ તો એ વિશે જાહેરમાં વાત કરીશ. એને સંતાડવાનું મને કોઈ કારણ નથી લાગતું. આ વાતને હું લોકોથી છુપાવીને નહીં રાખી શકું.

આ પણ વાંચો : હ્યુમન કમ્પ્યુટર શકુંતલા દેવીનાં પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે વિદ્યા બાલન



જો હું હમણાં કંઈ છુપાવી નહીં રહ્યો હોઉં તો લગ્નને શું કામ છુપાવું? હું હાલમાં કામ કરી રહ્યો છું અને એ ઝોનમાં નથી કે લગ્ન કરું. દુનિયા શું કહે એનાથી મને કોઈ ફરક નથી પડતો.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 12:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK