જસ્ટિસ ફૉર સુશાંત માટે શ્રીલંકામાં લાગ્યાં હોર્ડિંગ્સ
જસ્ટિસ ફૉર સુશાંત માટે શ્રીલંકામાં લાગ્યાં હોર્ડિંગ્સ
સુશાંતસિંહ રાજપૂતને ન્યાય મળે એ માટે શ્રીલંકામાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. સુશાંતે ૧૪ જૂને પોતાના બાંદરાના ઘરમાં સુસાઇડ કરી લીધું હતું. તેનું મર્ડર થયું હોય એવું કહેવામાં આવતાં તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. જોકે તેણે સુસાઇડ કર્યું હોવાનું મેડિકલ ટેસ્ટમાં બહાર આવ્યું હતું. દેશ અને દુનિયામાં તેના નિધન સાથે જોડાયેલા તથ્યને જાણવા માટે લોકો આતુર છે. સોશ્યલ મીડિયામાં સુશાંતના અનેક ફોટો તેની બહેન શ્વેતાસિંહ કીર્તિ શૅર કરતી રહે છે. શ્રીલંકામાં લાગેલાં હોર્ડિંગ્સને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી, ‘થૅન્ક્સ શ્રીલંકા’.