Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધર્મ વિશેની નફરત ખતમ કરવી જોઈએ - રજનીકાન્ત

ધર્મ વિશેની નફરત ખતમ કરવી જોઈએ - રજનીકાન્ત

23 July, 2020 09:28 PM IST | Mumbai Desk
Agencies

ધર્મ વિશેની નફરત ખતમ કરવી જોઈએ - રજનીકાન્ત

કાંડા શાસ્ત્રી પર થયેલા વિવાદ વિશે રજનીકાન્તે કહ્યું...

કાંડા શાસ્ત્રી પર થયેલા વિવાદ વિશે રજનીકાન્તે કહ્યું...


કાંડા શાસ્ત્રી પર ચાલી રહેલા વિવાદ બાદ રજનીકાન્તે જણાવ્યું હતું કે ધર્મને લઈને ચાલતી ઘૃણાને ખતમ કરવી જોઈએ. તાજેતરમાં જ તામિલનાડુમાં કેટલાક લોકોએ ભગવાન મુરુગનનું અપમાન કર્યું હતું. એને લઈને આ લોકો વિરુદ્ધ સરકારે પગલાં લીધાં હતાં. એ સંદર્ભે ટ્વિટર પર રજનીકાન્તે ટ્વીટ કર્યું હતું કે ‘આ ઘટના બાદ હવેથી ધાર્મિક નફરત અને ધર્મને લઈને કરવામાં આવતી નિંદાને ખતમ કરવી જોઈએ. દરેક ધર્મને સમાન આદર મળવો જોઈએ.’

રજનીકાન્ત માસ્ક પહેરી લમ્બોર્ગિની ચલાવતા દેખાયા



રજનીકાન્ત હાલમાં માસ્ક પહેરીને લમ્બોર્ગિની ચલાવતા દેખાયા હતા. તેઓ વાઇટ કપડામાં જોવા મળ્યા હતા. આ કાર તેમની દીકરી સૌંદર્યાની છે. 70 વર્ષની ઉંમરમાં પણ થલાઇવાનું જોશ ગજબનું છે. તેમને જોઈને તેમના ફૅન્સ પણ ઘણા ખુશ છે. ફૅન્સ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ‘સીધા સરળ રહેવાના તેઓ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે. હા, તેઓ સુપર સ્ટાર છે.’
અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘તેઓ જે પણ ઉપદેશ આપે છે એનું વાસ્તવિક જીવનમાં પાલન પણ કરે છે. કારની અંદર તેઓ માસ્ક પહેરીને બેઠા છે. આ જ કારણ છે કે તેઓ લીડર છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 09:28 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK