ધર્મ વિશેની નફરત ખતમ કરવી જોઈએ - રજનીકાન્ત
કાંડા શાસ્ત્રી પર થયેલા વિવાદ વિશે રજનીકાન્તે કહ્યું...
કાંડા શાસ્ત્રી પર ચાલી રહેલા વિવાદ બાદ રજનીકાન્તે જણાવ્યું હતું કે ધર્મને લઈને ચાલતી ઘૃણાને ખતમ કરવી જોઈએ. તાજેતરમાં જ તામિલનાડુમાં કેટલાક લોકોએ ભગવાન મુરુગનનું અપમાન કર્યું હતું. એને લઈને આ લોકો વિરુદ્ધ સરકારે પગલાં લીધાં હતાં. એ સંદર્ભે ટ્વિટર પર રજનીકાન્તે ટ્વીટ કર્યું હતું કે ‘આ ઘટના બાદ હવેથી ધાર્મિક નફરત અને ધર્મને લઈને કરવામાં આવતી નિંદાને ખતમ કરવી જોઈએ. દરેક ધર્મને સમાન આદર મળવો જોઈએ.’
રજનીકાન્ત માસ્ક પહેરી લમ્બોર્ગિની ચલાવતા દેખાયા
ADVERTISEMENT
રજનીકાન્ત હાલમાં માસ્ક પહેરીને લમ્બોર્ગિની ચલાવતા દેખાયા હતા. તેઓ વાઇટ કપડામાં જોવા મળ્યા હતા. આ કાર તેમની દીકરી સૌંદર્યાની છે. 70 વર્ષની ઉંમરમાં પણ થલાઇવાનું જોશ ગજબનું છે. તેમને જોઈને તેમના ફૅન્સ પણ ઘણા ખુશ છે. ફૅન્સ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ‘સીધા સરળ રહેવાના તેઓ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે. હા, તેઓ સુપર સ્ટાર છે.’
અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘તેઓ જે પણ ઉપદેશ આપે છે એનું વાસ્તવિક જીવનમાં પાલન પણ કરે છે. કારની અંદર તેઓ માસ્ક પહેરીને બેઠા છે. આ જ કારણ છે કે તેઓ લીડર છે.’