Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગૅન્ગરેપની ઘટના બાદ આયુષ્માને દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની સલાહ આપી

ગૅન્ગરેપની ઘટના બાદ આયુષ્માને દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની સલાહ આપી

04 October, 2020 05:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૅન્ગરેપની ઘટના બાદ આયુષ્માને દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની સલાહ આપી

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


હાથરસ અને બલરામપૂરમાં થયેલી બળાત્કારની ઘટનાઓને લઈને આયુષ્માન ખુરાનાએ જણાવ્યું છે કે દીકરાઓનો સારી રીતે ઉછેર કરવો જોઈએ. આ ભયાવહ ઘટનાથી સૌકોઈ રોષે ભરાયા છે. સૌની ઇચ્છા છે કે દોષીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ જેથી સમાજમાં ગુનેગારો માટે એક દાખલો બેસે. એ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘શૉક્ડ, તૂટી ગયો છું અને દુખી છું. હાથરસ બાદ બલરામપુરમાં બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી છે. એ ખૂબ જ નિર્દયી, અમાનવીય છે. દોષીઓને સૌથી સખત સજા આપવામાં આવે. આ બધું ક્યારે અટકશે? આપણા દેશની મહિલાઓને સલામતી આપવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. તેમની રક્ષા કરવાની સાથે જ આપણે તેમને માટે વિશેષ કંઈ કરવું પડશે. આપણે આપણા દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2020 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK