વીર દાસ કૉમેડીની સાથે હવે મર્ડર કરશે!
વીર દાસ
ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર ૧૦ એપ્રિલે ‘હસમુખ’ નામની ડાર્ક કૉમેડી સિરીઝ રિલીઝ થવાની છે. જાણીતો કૉમેડિયન અને અભિનેતા વીર દાસ આ સિરીઝમાં લીડ રોલમાં જોવા મળશે. ‘હસમુખ’માં એક મહત્ત્વાકાંક્ષી કૉમેડિયન (વીર દાસ)ની વાત છે જે સ્પૉટલાઇટ મેળવવા માટે પોતાના મેન્ટરનું મર્ડર કરી નાખે છે, પણ સ્ટાર બન્યા બાદ ટકી રહેવા માટે તે વધુ મર્ડર કરતો જાય છે!
આ સિરીઝમાં વીર દાસ ઉપરાંત રણવીર શૌરી અને મનોજ પાહવા પણ મહત્ત્વના રોલમાં છે. આ વેબ-સિરીઝ વીર દાસ અને નિખિલ અડવાણીએ બનાવી છે. ‘હસમુખ’ ૨૦૨૦માં આવેલી ભારતની ચોથી ઓરિજિનલ સિરીઝ છે. આ પહેલાં ‘જમતારા’, ‘તાજ મહલ ૧૯૮૯’ અને ‘શી’ રિલીઝ થઈ ચૂકી છે. આ ચારેય સિરીઝ વાયકૉમ 18 અને એના ડિજિટલ લેબલ ‘ટિપિંગ પૉઇન્ટ’ હેઠળ બની છે. આ ઉપરાંત એપ્રિલમાં જ કાનન ગિલનો સ્ટૅન્ડ-અપ કૉમેડી સ્પેશ્યલ શો ‘યોર્સ સિન્સિયરલી, કાનન ગિલ’ પણ રિલીઝ થવાનો છે.