Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સંજીવની ફેમ ગુરદીપ કોહલી 'નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી'માં

સંજીવની ફેમ ગુરદીપ કોહલી 'નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી'માં

07 August, 2020 11:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજીવની ફેમ ગુરદીપ કોહલી 'નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી'માં

ગુરદીપ કોહલી

ગુરદીપ કોહલી


કલર્સ ટીવીના શો ‘નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી’માં અભિનેત્રી ગુરદીપ કોહલી મહત્ત્વનો રોલ ભજવવાની છે. ગુરદીપ આ શોમાં રામ કશ્યપ (વિશ્વજિત પ્રધાન)ની રિલેટિવ તરીકે જોવા મળશે જે પિન્કી (રિયા શુક્લા)ની સપોર્ટ-સિસ્ટમ બનશે અને એની તરફેણમાં ઊભી રહેશે. ‘સંજીવની’ સિરિયલથી જાણીતી બનેલી ગુરદીપ કોહલી છેલ્લે અલ્ટ બાલાજીની સિરીઝ ‘કહને કો હમસફર હૈ 3’માં જોવા મળી છે.

‘નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી’ની વાત કરીએ તો આ શોમાં કદમાં નાની એવી પિન્કીના સપનાની વાત છે. કલર્સ પર ૨૪ ઑગસ્ટથી ‘પીંજરા ખૂબસૂરતી કા’ નામનો નવો શો લૉન્ચ થવાનો છે જેથી શુભારંભ, પવિત્ર ભાગ્ય, નાટી પિન્કી કી લંબી લવસ્ટોરીના ટાઇમ-સ્લૉટમાં ફેરફાર થશે. ‘પવિત્ર ભાગ્ય’ ઓછી ટીઆરપીને લીધે બંધ થશે એવી ચર્ચા છે, તો બીજી તરફ ‘નાગિન 4’ની જગ્યાએ ‘નાગિન 5’ આવશે એટલે ચૅનલ પર ટૂંક સમયમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2020 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK