ગુજ્જુભાઈએ ચાહકોને બનાવ્યા 'એપ્રિલ ફૂલ', જાણો કેવી રીતે
ગુજ્જુભાઈએ ચાહકોને બનાવ્યા એપ્રિલ ફૂલ!
ફિલ્મોમાં પોતાની કૉમેડીથી દર્શકોને ખડખડાટ હસાવતા સિદ્ધાર્થ રાંદેરિયાએ આ વખતે ચાહકોને એપ્રિલ ફૂલ બનાવ્યા. થયું એવું કે ગઈકાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કરી કે ગુજ્જુભાઈ સીરિઝની તેમની આગામી ફિલ્મ દિવાળી પર રીલિઝ થશે. તેમના ચાહકો તો આ સમાચાર સાંભળીને એકદમ ખુશ થઈ ગયા. પરંતુ આજે સાંજે તેમણે ઈન્સ્ટાગ્રામ પર જ ખુલાસો કર્યો કે આ એપ્રિલ ફૂલ હતું. જુઓ તેમણે કેવી રીતે કરી હતી ફિલ્મની રીલિઝની જાહેરાત?
ADVERTISEMENT
હવે જુઓ એ સ્ટેટ્સ જેમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ ચાહકોને એપ્રિલ ફૂલ બનાવ્યા હોવાનો ખુલાસો કર્યો.
થોડા દિવસો પહેલા જ ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ ફિલ્મને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે એક વીડિયોમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં આ ફિલ્મનો વધુ એક ભાગ આવશે. આ સાંભળી તેમના ચાહકો ખુશ થઈ ગયા હતા. જો કે હવે તેમનો ખુલાસો સાંભળીને ચાહકો થોડા નિરાશ જરૂર થયા હશે.
આ પણ વાંચોઃ ટૂંક સમયમાં આવશે ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ, સિદ્ધાર્થ રાંદેરિયાએ કરી જાહેરાત