લો, બોલો હવે તો ગીતમાં પણ કોરોના!
'કોરોનાની હુંડી' ગીતની જાહેરાત કિર્તિદાન ગઢવીએ તેમના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કરી હતી
કોરાનાએ ખરેખર કહેર મચાવ્યો છે. કોરોના વાયરસ વિષે લોકોમાં અનેક ગેરસમજણો છે. આ ગેરસમજણો દુર કરીને લોકોને જાગૃત કરવા તેમજ આ વાયરસનો સામનો કરવા માટે નાગરિકોને સજ્જ બનાવવા ગાયક કિર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બીડું ઝડપ્યું છે. કિર્તિદાન ગઢવીએ 'કોરોનાની હુંડી' ગીત ગાયુ છે. ગીતમાં કહ્યું છે, જનતા જાગશે અને કાળજી રાખશે તો કોરોના ઝટ ભાગી જશે.
ADVERTISEMENT
કિર્તિદાન ગઢવીએ પોતાની ઑફિશ્યલ યુ-ટયુબ ચેનલ પર આ ગીત મુક્યું છે. જેના બોલ હાસ્ય કલાકાર સાંઈરામ દવેના છે. સનેડાની ધુનમાં ગવાયેલી આ ગીતમાં શાહાકારી બનવાનું પણ કહેવામાં આવ્યું છે. તેમજ ચાઈનાનો રોગ છે એટલે બહુ ટકશે નહીં એવું ગીતકાર અને ગાયકનું માનવું છે.
'કોરોનાની હુંડી' ગીતમાં સંગીત પરિમલ ભટ્ટે આપ્યું છે. કોરોના અત્યારે જે રીતે દેશમાં કહેર વર્તાવી રહ્યું છે એ જોઈને ખરેખર લાગે છે કે હવે જલ્દી આ રોગચાળામાંથી મુક્તિ મળવી જોઈએ.